Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમેરિકાના ઓહિયોના સિનસિનાટીમાં અંધાધૂંધ ગોળીબાર:ત્રણ લોકોના મોત: બે લોકો ઘાયલ

પોલીસના વળતા હુમલામાં ગોળીબાર કરનારી વ્યક્તિનું પણ મોત

 

ઓહિયોઃ અમેરિકાના ઓહિયોના સિનસિનાટી શહેરમાં એક વ્યક્તિએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 2 ઈજાગ્રસ્ત થયા હતા પોલીસને શંકા છે કે, મૃતકોમાં એક વ્યક્તિ ગોળીબાર કરનારો પણ છે

  સિનસિનાટી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, સિનસિનાટીના ફાઉન્ટેન સ્ક્વેર ખાતે આવેલા એક કોમર્શિયલ કેમ્પ્લેક્સમાં લગભગ 9 કલાક અને 10 મિનિટે ફિફ્થ થર્ડ બેન્કના લોબી એરિયામાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કરનારી વ્યક્તિની ઓળખ થઈ નથી. પોલીસ દ્વારા વળતા ગોળીબારમાં તેનું પણ મોત થયું હતું

  અધિકારીએ જણાવ્યું કે, બિલ્ડિંગમાં ફિફ્થ થર્ડ બેન્કનું હોડક્વાર્ટર આવેલું છે. તેની સાથે આઈસીક્રીમ, સેન્ડવીચ અને પેસ્ટ્રી શોપ્સ પણ આવેલી છે. જો, ઘટનાસ્થળે પોલીસમેન હાજર હોત તો કદાચ ગોળીબારમાં વધુ લોકોનાં મોત થવાની સંભાવના હતી. સદનસીબે સામ-સામા ગોળીબારની ઘટનામાં એક પણ પોલીસમેન ઈજાગ્રસ્ત થયો હતો

આ ઘટનામાં 3 વ્યક્તિનાં મોત થયા હતાં, જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખેસેડાયા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિક યથાવત કરી નાખ્યો હતો.
 

(12:00 am IST)