-ઃ મુખ્યમંત્રી :-
Ø શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કર્યો છે
Ø ગુજરાતમાં ડી.પી, ટી.પી અને સ્થાનિક વિસ્તાર વિકાસ આયોજન પારદર્શીતાથી ઘડીને કાર્યરત કરાય છે
Ø ટાઉનપ્લાનીંગ સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવાય છે
Ø વડાપ્રધાનશ્રીએ આપેલી ફ્યુચરિસ્ટીક સિટીઝની કલ્પનાને સુસંગત આયોજનબદ્ધ વિકાસથી ગિફ્ટ સિટી દેશનું મુખ્ય નાણાંકીય-આર્થિક ગતિવિધિ કેન્દ્ર બન્યું
Ø શહેરોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપી ૧૬૬ માં પ૯ હજાર સ્લમ્સ આવાસોનું નિર્માણ કાર્ય પૂરજોશમાં-૭૮૦૦ યુનિટમાં કામ પૂર્ણ થઇ ગયાં
|
Ø રાજ્યની કૃષિક્રાંતિના મૂળમાં વડાપ્રધાનશ્રીએ આપેલા કૃષિમહોત્સવ-સોઇલ હેલ્થકાર્ડ-પશુઆરોગ્ય મેળા જેવા કિસાન હિત અભિગમ રહેલા છે
Ø રાજ્યમાં બે દાયકામાં બાગાયત વિસ્તાર ૩૦૦ ટકા વધ્યો
Ø સુક્ષ્મ સિંચાઇ પ્રણાલિમાં SPV દ્વારા વધુ વિસ્તારો આવરી લઇ દાડમ-ખજૂર કમલમ જેવા ફળની ખેતી સામેલ કરી છે
Ø પ્રાકૃતિક ખેતી માટેના વડાપ્રધાનશ્રીના આહવાનને ગુજરાતે ઝિલી લીધુ છે-પ.પ૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત કર્યા
Ø કૃષિ યુનિવર્સિટીઝમાં પ્રાકૃતિક ખેતીનો વિષય આ વર્ષથી અભ્યાસક્રમમાં દાખલ કરાશે
|
ગુજરાતનું ‘‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’’એ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ અને બિગ ડેટા એનાલીસીસ જેવી ટેક્નોલોજીથી સુસજ્જ એવું દેશનું પહેલું ડિઝીટલ એજ્યુકેશન આર્કિટેકચર છે
મુખ્યમંત્રી પટેલે દેશમાં વિકાસ અને સુશાસનના રોલ મોડેલ તરીકેનું ગુજરાતનું સ્થાન યથાવત જાળવી રાખવાના સંકલ્પ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસ માર્ગનું ગુજરાત સતત અનુસરણ કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની સાતમી ગર્વનિંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા અને રાજ્યની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી.
મુખ્યમંત્રીએ ખાસ કરીને સુશાસન, શહેરી વિકાસ અને કૃષિ વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને અગ્રેસરતાનું વિવરણ બેઠકમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના સદસ્યો સમક્ષ કર્યુ હતું.
ભૂપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું કે, ભારત સરકારે બહાર પાડેલા ગુડ ગર્વનન્સ ઇન્ડેક્ષ, લોજીસ્ટીક પરફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્ટેટ એનર્જી એન્ડ ક્લાયમેટ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ તેમજ સસ્ટેઇનેબલ ગોલ ઇન્ડીયા ઇન્ડેક્ષ ૩.૦ ની વિવિધ કેટેગરીમાં ગુજરાતે પ્રથમ સ્થાન અંકિત કર્યુ છે.
વડાપ્રધાનના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, ૩૦ ગીગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા SIR અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવી અનેક મહત્વાકાંક્ષી પરિયોજનાઓથી વિકાસની નવી ઊંચાઇ આંબી છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરીકરણ-અર્બન સેક્ટરની પહેલ રૂપ બાબતો અને સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના શહેરોને વર્લ્ડક્લાસ સિટીઝ બનાવવાનું જે સપનું જોયુ હતું તેને સાકાર કરવા અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીયે.
તેમણે આ અંગેની વિગતો આપતાં ઉમેર્યુ કે, શહેરોના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકારે સુઆયોજિત શહેરી વિકાસ તેમજ નાગરિકલક્ષી શાસન માટે વિવિધ કલ્યાણ યોજનાઓને ટોચઅગ્રતા આપેલી છે.
રાજ્યના શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ રજુ કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ત્રિસ્તરીય રોડમેપ અંતર્ગત રાજ્ય સરકાર શહેરોના ડેવલપમેન્ટ પ્લાન, ટાઉન પ્લાનિંગ સ્કીમ અને સ્થાનિક વિસ્તાર વિકાસ આયોજન પારદર્શીતાથી ઘડીને કાર્યરત કરે છે. ગુજરાતમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવવામાં આવે છે.
ગુજરાતમાં ૯૦૦થી વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમનું કામ પૂર્ણ થઇ ગયું છે તેમ પણ તેમણે ગૌરવપૂર્વક ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ફયુચરીસ્ટીક સિટી ની જે પરિકલ્પના વડાપ્રધાનશ્રીએ આપેલી છે તેને સુસંગત આયોજનબદ્ધ શહેરી નિયોજન દ્વારા ગિફટ સિટી દેશના મુખ્ય નાણાંકીય અને આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યના દરેક શહેરોમાં યોજનાઓની ત્વરિત અને પારદર્શી મંજૂરી પ્રક્રિયા માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ દ્વારા ગત બે વર્ષમાં અંદાજે ૧ લાખ વિકાસ કામોને સરકારે અનુમતિ આપી છે. એટલું જ નહિ, સમગ્ર રાજ્યમાં એકસમાન બિલ્ડીંગ બાયલોઝ માટે કોમન GDCR અમલી બનાવવામાં આવેલો છે.
ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, શહેરોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટને પણ પ્રાથમિકતા આપીને રાજ્ય સરકારે ૧૬૬ સ્લમ્સમાં પ૯ હજાર આવાસોનું નિર્માણ કાર્ય ઝડપભેર હાથ ધર્યુ છે અને ૭૮૦૦ યુનિટનું રિ-ડેવલપમેન્ટ કામ તો પુરૂં પણ થઇ ગયું છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં કૃષિ વૈવિધ્યકરણ અન્વયે જે સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે તેની પણ વિસ્તૃત છણાવટ નીતિ આયોગની આ બેઠકમાં કરી હતી.
પટેલે આ અંગે કહ્યું કે, ગુજરાત આજે કૃષિ ક્ષેત્રના વિકાસ સાથોસાથ પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં પણ દેશના અગ્રેસર રાજ્યો પૈકીનું એક છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા જે નવતર અભિગમ અપનાવ્યા તે ગુજરાતની આ કૃષિક્રાંતિના મૂળમાં છે એમ તેમણે ગૌરવસહ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યમાં પાછલા બે દશકમાં બાગાયત વિસ્તાર ૩૦૦ ટકા વધીને ૪.૮૦ લાખ હેક્ટરમાંથી ર૦ લાખ હેક્ટરે