Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

હરિયાણાના રોહતકના ખારવાડ રેલ્‍વે સ્‍ટેશન પાસે માલગાડીના ૮ ડબ્‍બા પાટા ઉપરથી ઉતરી ગયા

દિલ્‍હી-રોહતક રેલ્‍વે ટ્રેક ઉપર ટ્રેન વ્‍યવહાર ખોરવાયો

નવી દિલ્‍હીઃ હરિયાણાના રોહતકના ખારવાડ રેલ્‍વે સ્‍ટેશન પાસે માલગાડીના ૮ ડબ્‍બા પાટા ઉપરથી ખડી પડતા દોડધામ મચી ગઇ હતી.

હરિયાણાના રોહતકના ખારવાડ રેલવે સ્ટેશન પાસે રવિવારે ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી-રોહતક રેલવે લાઇન પર એક માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતને કારણે દિલ્હી-રોહતક રેલવે ટ્રેક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસમાં લાગેલા છે. હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.

(3:25 pm IST)