Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર ,પાર્લીન ,ન્યુજર્સી મુકામે 11 જુલાઈથી 15 જુલાઈ 2022 દરમિયાન ગૌરીવ્રત - જયાપાર્વતી વ્રત ઉજવાશે : મહિલા મંડળ આયોજિત ઉજવણીમાં બ્રાહ્મણ દ્વારા દૈનંદિન પૂજા તથા ખઉ (જવારા) ની વ્યવસ્થા :16 જુલાઈ શનિવારે પૂર્ણાહુતિ , ગૌરી વિસર્જન ,તથા વ્રત ઉજવણીનો કાર્યક્રમ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર ,717,વોશિંગટન રોડ ,પાર્લીન ,ન્યુજર્સી મુકામે 11 જુલાઈ સોમવારથી 15 જુલાઈ શુક્રવાર 2022 દરમિયાન ગૌરીવ્રત - જયાપાર્વતી વ્રત ઉજવાશે. જે અંતર્ગત મહિલા મંડળ દ્વારા ગૌરીવ્રતનું ભવ્ય આયોજન મંદિરમાં રાખવામાં આવેલ છે.

ગૌરીવ્રત દ્વારા ભારતીય હિન્દૂ સંસ્કૃતિને વિદેશની ધરતી ઉપર ધબકતી રાખવાના આશયથી શ્રીનાથજી હવેલીમાં બ્રાહ્મણ દ્વારા દૈનંદિન બાળાઓ માટે પૂજા કરાવાશે તથા ખઉ (જવારા) ની વ્યવસ્થા કરવામાં આવી છે.

વ્રત કે ગૌરી ઉજવવા માટે નીચે દર્શાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો.

સુશ્રી લીના શાહ 732 -910 -9295 ,સુશ્રી ઉમા પટેલ 732 -236 -4447  ,સુશ્રી કોકિલા મેહતા 732 -261 -8392 ,સુશ્રી પિંકી દેસાઈ 732 -331 -2473 ,સુશ્રી વર્ષા શાહ 973 -866 -6711 , અથવા સુશ્રી ઈલા ખોખાણી 732 -703 -3583 નો સંપર્ક સાધવો .

16 જુલાઈ 2022 શનિવારના રોજ પૂર્ણાહુતિ , ગૌરી વિસર્જન ,તથા વ્રત ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

વિશેષ માહિતી મંદિરના કોન્ટેક નંબર 732 -254 -0061 અથવા મંદિરની વેબસાઈટ www.dwarkadhishtemple.org દ્વારા મેળવી શકાશે.તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:03 pm IST)