Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માને ડો.ગુરપ્રીત કૌર સાથે બીજા લગ્ન કર્યાઃ કેજરીવાલ સહીતના અગ્રણીઓ હાજર

ચંદીગઢ,તા. ૭ : પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન આજે બીજીવાર લગ્નના તાંતણે બંધાયા છે. કુરૂક્ષેત્રના ડો.ગુરપ્રીત કૌર સાથે તેમણે સાત ફેરા લીધા હતા. લગ્નમાં સામેલ થવા આપના સંયોજક અને દીલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ સહીતના મહાનુભાવો લગ્ન સ્‍થળ સીએમ હાઉસ ખાતે પહોંચ્‍યા હતા. ભગવંત માને પહેલી પત્‍ની સાથે ૨૦૧૫માં છુટાછેડા લીધા હતા અને તેમને બે બાળકો છે.

ડો.ગુરપ્રીત કૌરનું પિહોવા વિસ્‍તારમાં પૈતૃક મકાન છે. તેઓ અંબાલામાં ભણ્‍યા છે. તેમની ભગવંત માન સાથે પહેલી મુલાકાત બે વર્ષ પહેલા થઇ હતી. પંજાબ ચૂંટણીમાં વ્‍યસ્‍ત હોવાથી લગ્ન મોડા કરાયા હતા. લગ્નની જાજીની ચર્ચા ન થાય તે માટે ગુરપ્રીત લાઇમ લાઇટથી દૂર રહ્યા હતા. 

(4:21 pm IST)