Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બોરિસ જોનસન મુશ્‍કેલીમાં: ૩૯ મંત્રીઓએ આપ્‍યા રાજીનામા

બ્રિટનનાં રાજકારણમાં ભૂકંપ : ભારતીય મૂળનાં નાણાંમંત્રી ઋષિ સુનકનાં રાજીનામાં બાદ આવેલો રાજકીય ભૂકંપ હવે ૧૦ ડાઉનિંગ સ્‍ટ્રીટ સુધી પહોંચી ગયો છે

લંડન, તા.૭: બ્રિટનમાં સત્તારૂઢ કન્‍ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ બળવો કર્યા બાદ વડા પ્રધાન બોરિસ જોન્‍સન મુશ્‍કેલીમાં મુકાયા છે. ૨૪ કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા ૩૯ મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્‍યું છે. એટલું જ નહીં, ગળહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્‍ટ શૅપ્‍સ ડઝન વરિષ્ઠ મંત્રીઓ બુધવારે પીએમને મળ્‍યા અને તેમને રાજીનામું આપવા કહ્યું હતું.

આરોગ્‍ય પ્રધાન સાજિદ જાવિદ અને ભારતીય મૂળના નાણાંમંત્રી ઋષિ સુનાકના રાજીનામા સાથે શરૂ થયેલી નાસભાગ બુધવારે પણ ચાલુ રહી. નાણાકીય સેવા મંત્રી જોન ગ્‍લેન, સુરક્ષામંત્રી રશેલ મેકલીન, નિકાસ અને સમાનતા મંત્રી માઇક ફ્રીર, હાઉસિંગ અને કોમ્‍યુનિટીઝ જુનિયર મિનિસ્‍ટર નીલ ઓ'બ્રાયન અને શિક્ષણ વિભાગના જુનિયર મંત્રી એલેક્‍સ બર્ગાર્ટ સહિત ૩૯, જ્‍હોન્‍સન પર અવિશ્વાસ વ્‍યક્‍ત કરીને રાજીનામું આપ્‍યું છે.

વડા પ્રધાન જ્‍હોન્‍સનની કટોકટીમાં ઉમેરો કરતાં, તેમની સરકારના વરિષ્ઠ પ્રધાનો બુધવારે સાંજે વડા પ્રધાનના નિવાસસ્‍થાન ૧૦, ડાઉનિંગ સ્‍ટ્રીટ પર ગયા અને તેમને પદ છોડવા કહ્યું હતું. સૌથી મહત્‍વની વાત એ હતી કે તેમના કટ્ટર સમર્થક ગણાતા ગળહમંત્રી પ્રિતિ પટેલનો પણ આ મંત્રીઓમાં સમાવેશ થાય છે. મંત્રીઓ પર દબાણ લાવવા માટે જ્‍હોન્‍સન વ્‍યક્‍તિગત રીતે મળ્‍યા હતા. પરંતુ તેમના ૧૫ થી વધુ મંત્રીઓએ આગામી ચૂંટણીમાં કન્‍ઝર્વેટિવ પાર્ટીની સંભાવનાઓને સુધારવા માટે નેતળત્‍વમાં પરિવર્તનનો આગ્રહ રાખ્‍યો હોવાનું માનવામાં આવે છે.

અલગ થનાર મંત્રીઓની વધતી સંખ્‍યા હોવા છતાં, જહોન્‍સન પદ છોડવા તૈયાર નથી. PMનું કહેવું છે કે, તેમના રાજીનામાને કારણે ટૂંક સમયમાં ચૂંટણી યોજવી પડશે, જેમાં ટોરીને હારનો સામનો કરવો પડી શકે છે. જોકે, પક્ષની સંપર્ક સમિતિની બેઠકમાં તેમણે વહેલી ચૂંટણી કે રાજીનામાના પ્રશ્‍નોને ટાળ્‍યા હતા.

(11:15 am IST)