Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કેરળમાં ત્રીજી લહેરની દસ્તક : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,600 કેસ: 148 લોકોના મોત

સમગ્ર દેશના ત્રીજા ભાગના કેસ કેરળમાં: દેશમાં લાંબા સમય બાદ રિકવરીમાં ઘટાડો: નવા કેસ કરતાં રિકવરી ઓછી

 

નવી દિલ્હી : ભારતમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો હતો પરતું કેરળમાં કોરોનાની થર્ડ વેવની શકયતા વધી છે નવા કેસમાં વધારો થતા કોરોનાના નવા કેસો હાલ દેશમાં ઘટી રહ્યા છે પરતું કેરળમાં સ્થિતિ સ્ફોટક જોવા મળી રહી છે,કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે

 કેરળમાં છેલ્લા  24 કલાકમાં જ 15,600 નવા કેસ નોંધાયા છે જયારે વધુ 148 લોકોના મોત થયા છે સમગ્ર દેશના ત્રીજા ભાગના કેસ કેરળમાં નોંધાયા છે જયારે લાંબા સમય બાદ રિકવરીમાં ઘટાડો થયો છે અને  નવા કેસ કરતાં રિકવરી ઓછી નોંધાઈ છે 

(1:06 am IST)