Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જે લોકો અલ્લાહના સેવક છે, તેઓએ અલ્લાહ પાસે જવુ પડશે, તે હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે

દિલીપકુમારનું અવસાન થતાં શાહીદ આફ્રિદીએ કર્યું ટવીટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ બોલિવૂડ એકટર દિલીપકુમારનું દુઃખદ અવસાન થતાં ટ્વિટ  કરી લખ્યું છે કે તેમના જવાથી ખૈબર પખ્તુનખ્વાથી મુંબઇ અને સમગ્ર વિશ્વના ચાહકો માટે મોટું નુકસાન થયું છે. દિલીપકુમારનું અસલી નામ યુસુફ ખાન હતું અને આફ્રિદીએ પણ પોતાના ટ્વિટમાં આનો ઉલ્લેખ કર્યો છે.

 આફ્રિદીએ દિલીપકુમાર માટે લખ્યું, કે જે લોકો અલ્લાહના સેવક છે, તેઓએ અલ્લાહ પાસે જવું પડશે.  તે હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. અમે સાયરા બાનુ સાહિબાને સહાનુભૂતિ આપીએ છીએ.

(4:22 pm IST)