Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દિલીપ સાહબ મુઝે કાયનાત કે તૌફે મે મીલે, આજ મૈને મેરી પરછાઇ ગવાઇ : સાયરા બાનુ

દિલીપ કુમારના જીવનના છેલ્લા શ્વાસ સુધી સાયરા બાનુએ તેમની અનન્ય સેવા કરી : સાયરાબાનુ દિલીપકુમારની નજર ઉતારતા, દિલીપકુમાર સાથે ૫૫ વર્ષ સાથે રહી એક પત્નિ : તરીકેનો ધર્મ ખુબ નિઃસ્વાર્થ ભાવ અને પ્રેમથી નિભાવ્યોઃ કોહેનુર, સાહેબ અને જાનના ઉપનામથી બોલાવતા

રાજકોટઃ દિલીપકુમાર અને સાયરા બાનુની જોડી એક એવી જોડી હતી જે હંમેશાં સાચા અને નિઃસ્વાર્થ પ્રેમ માટે યાદ રહેશે. સાયરા બાનુ ૧૨ વર્ષની નાજુક વયથી જ દિલીપકુમાર સાથે પ્રેમમાં હતા. ત્યારથી, તેમણે પોતાનું મન બનાવ્યું હતું કે જો તેના સાથી તરીકે કોઈ હશે, તો તે દિલીપ કુમાર જ હશે. સાયરા બાનુ ૧૨ વર્ષના હતા અને દિલીપકુમાર તેનાથી ૨૨ વર્ષ મોટા હતા. આમ હોવા છતાં, બંનેએ એકબીજાને દિલ આપ્યું. સમય જતા, તેમનો પ્રેમ અને એકબીજા પ્રત્યે્નો આદર વધતો જ રહ્યો. દિલીપ કુમાર સાથે ૫૫ વર્ષ રહી તેની અનન્ય સેવા સાયરા બાનુએ કરી એક પત્નિ તરીકેનો ધર્મ ખુબ નિૅંસ્વાર્થ ભાવ અને પ્રેમથી નિભાવ્યો.

 દિલીપકુમારને મેળવવા સાયરા બાનુએ ફિલ્મ જગતની પસંદગી કરી હતી. જ્યારે દિલીપ કુમારે પહેલી મીટિંગમાં સાયરા બાનુની સુંદરતાની -શંસા કરી હતી, ત્યારે સાયરા ખૂબ ખુશ હતા અને વિચારતા હતા કે હું આ પુરુષની પત્ની બનીશ. સાયરાએ એક ઇન્ટરવ્યુમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. દિલીપકુમાર અને સાયરાની જોડીમાં સાયરાની માતા અને અભિનેત્રી નસીમ બાનોની મુખ્ય ભૂમિકા હતી. એવું કહેવામાં આવે છે કે નસીમ બાનોએ દિલીપ કુમારને સાયરાને લગ્ન માટે પ્રપોઝ કરવા અને સંબંધ વિશે વાત કરવા જણાવ્યું હતું. સાયરા બાનુ તે જ ક્ષણની રાહ જોતી હતી. સાયરાએ આ  પ્રસ્તાવ સ્વીકાર્યો અને ૧૧ ઓકટોબર ૧૯૬૬ ના રોજ બંનેએ લગ્ન કરી લીધાં.

 એક સમય એવો હતો જ્યારે દિલીપ કુમાર વિદેશથી પરત આવેલી સાયરા બાનુને મળવા માટે દરરોજ રાત્રે ચેન્નાઈથી આવતા હતા. અને, સવારની ફ્લાઇટ પકડ્યા પછી, તેઓ શૂટિંગ માટે જતા રહેતા. દિલીપકુમાર સાયરા બાનુને પહેલીવાર પોતાની કારમાં ફરવા લઇ ગયા ત્યારે તેણે સાયરા બાનુની માતા અને દાદીની પરવાનગી લીધી હતી. આ પહેલી જ મુલાકાતમાં દિલીપ કુમારે સાયરા બાનુની સામે લગ્નનો  પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, ત્યારે સાયરા બાનુને લાગ્યું કે દિલીપકુમાર ફકત તેને  પ્રભાવિત કરવાનો  પ્રયાસ કરી રહ્યા છે. જોકે પછી તે  પ્રેમ પરિણયમાં પરિણમ્યો.

 સાયરા બાનુ અને દિલીપ કુમાર તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ હતા, પરંતુ ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકોને લાગ્યું કે જલ્દીથી તેમના સંબંધ તૂટી જશે. પરંતુ સાયરાએ પોતાનું લગ્ન જીવન મજબુતીથી સંભાળી રાખ્યું હતું. તેઓ દિલીપ કુમારની સાથે જ રહેતા. તેમની બધીજ જરૂરિયાતોનો ખ્યાલ તેઓ રાખતા. બંનેના લગ્ન જીવન દરમિયાન દિલીપ કુમારને એક પાકિસ્તાની યુવતી અસ્મા સાથે  પ્રેમ થઈ ગયો હતો, એવું કહેવામાં આવે છે કે તે બંને ૨ વર્ષથી એક બીજાના  પ્રેમમાં હતા પરંતુ પછી દિલીપને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે અસ્મા સાથે સંબંધ સમાપ્ત કરી લીધો અને ફરી તેઓ સાયરા બાનુ પાસે આવ્યા હતા. તેમ છતાં સાયરા બાનુએ તેમને દિલથી સ્વિકારી અંતિમ સમય સુધી તેનો સાથ તેઓ નહિં છોડે તેમ કહ્યું હતું.

 દિલીપકુમાર લાંબા સમયથી બીમાર હતા. તે દરમિયાન, તેમની પત્ની સાયરા બાનુ તેમની અનન્ય સેવા કરતા રહ્યા. સાયરા બાનુ દિલીપકુમારને પોતાના માટે સર્જનની ભેટ માનતા. તે દિલીપકુમારના જીવનમાં આવ્યા ત્યારથી તેણે તેમની પૂરી કાળજી લીધી કે તેના 'સાહેબ' ને કોઈ મુશ્કેલી ન આવે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે તેઓ રોજ દિલીપ કુમારની નજર ઉતારતા હતા. દિલીપકુમારના ચાહકો આખી દુનિયામાં છે. જેથી તેને ખરાબ નજર ન લાગે તેનું પણ ધ્યાન રાખી સાયરા બાનુ તેની નજર ઉતારતા.!

 સાયરા બાનુ દિલીપ કુમારની એક બાળકની જેમ સંભાળ લેતા અને  પ્રેમથી તેમને 'કોહેનૂર', 'સાહેબ' અને 'જાન' ના નામથી બોલાવતા. સાયરા બાનુએ સ્વીકાર્યું હતું કે તેના પતિનો અંતિમ સમય નજીક છે. પરંતુ તે છેલ્લી ઘડી સુધી પોતાના પ્રિયજનોને દિલાસો આપતા રહ્યા. બંનેનો  પ્રેમ એવો હતો કે જેમાં બંનેએ એકબીજાને કમજોર થવા દીધા નહોતા. સાયરા બાનુએ કહ્યું કે, દિલીપ સાહબ મુઝે કાયનાત કે તૌફે મે મીલે, આજ મૈને મેરી પરછાઇ ગવાઇ...    

(4:00 pm IST)