Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ઉત્તર પ્રદેશના પ્રવાસે સંઘ પ્રમુખ ભાગવત

શિબિર

ચિત્રકુટમાં સંઘની ચિંતન ચિત્રકુટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ચિત્રકુટમાં ૭ દિવસ સુધી યુપીની રાજકીય પરિસ્થિતિની નાડ પારખશે. આ દરમ્યાન ચૂંટણીની રણનીતિ પર મંથનની સાથે સરકારના કામકાજનું પણ વિશ્લેષણ થશે. તેઓ એક અઠવાડીયામાં બીજી વાર ગઇકાલે ચિત્રકુટ આવ્યા છે.

અહીં દીન દયાળ શોધ સંસ્થાનના આરોગ્ય ધામમાં સંઘની ચિંતન શિબિર ૯ થી ૧ર જૂલાઇ સુધી છે. તેમાં સંઘનાં હોદેદારો અને ક્ષેત્ર પ્રચારકો સામેલ થવાના છે. બેઠકની સાથે સાથે જ ભાગવત ચિત્રકુટના સાધુ સંતો સાથે મુલાકાત કરીને યુપીના વાતાવરણને ચકાસશે. ૯ જૂલાઇથી શરૂ થનાર આ શિબિરમાં સંઘના કાર્યોની સમિક્ષાની સાથે આગામી કાર્ય યોજના પર ચર્ચા થશે. ભાગવત ૧૦ અને ૧૧ જૂલાઇએ લગભગ ૩૦૦ પ્રાંત પ્રચારકો સાથે વર્ચ્યુઅલ ચર્ચા કરશે.

(3:25 pm IST)