Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

દેશમાં કોરોના ૨૦૧૬૦ લોકોને ભરખી ગયો

૨૪ કલાકમાં ૨૨૨૫૨ નવા કેસ : વધુ ૪૬૭ના મોત : ભારતમાં કુલ સંક્રમિતોનો આંકડો વધીને ૭,૧૯,૬૬૫ થયો

નવી દિલ્હી તા. ૭ : દેશમાં સોમવાર સવારથી મંગળવાર સવાર ૮ વાગ્યા એટલે કે ૨૪ કલાક દરમિયાન ૨૨૨૫૨ નવા કેસ સામે આવ્યા છે અને ૪૬૭ લોકોના મોત થયા છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭,૧૯,૬૬૫ની થઇ છે. જેમાં ૨,૫૯,૫૫૭ સક્રિય કેસ છે. ૪,૩૯,૯૪૮ લોકો સાજા થયા છે કે તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ ૨૦૧૬૦ લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવાયું છે કે, ગઇકાલે ૨,૪૧,૪૩૦ સેમ્પલનું ટેસ્ટીંગ કરાયું છે જે પછી દેશમાં અત્યાર સુધી કુલ ૧૦,૨૧૧,૦૯૨ લોકોનું ટેસ્ટીંગ કરાયું છે.

(10:58 am IST)