Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સટ્ટા જુગાર પર બેનની સલાહ આપી હતી : કાયદેસરતાની નહિ : લો કમિશન ચીફ

અમે તો સટ્ટો અને જુગાર બંધ્ કરવા કહ્યું હતું

નવી દિલ્હી તા. ૭ : લો કમિશનના ચેરમેન જસ્ટિસ બી.એસ. ચૌહાણે કહ્યું કે, 'સટ્ટા અને જુગારને લઈને કમિટીના રિપોર્ટને ખોટી રીતે સમજી લેવામાં આવ્યો છે.' તેમણે કહ્યું કે, 'લો કમિશને હકીકતમાં સટ્ટા અને જુગારને મંજૂરી નહીં પણ કડક પાબંદી હેઠળ મુકવાનું કહ્યું હતું. આયોગે સ્પષ્ટતા પૂર્વક પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે હાલની સ્થિતિમાં ભારતમાં કોઈપણ ભોગે સટ્ટો અને જુગારને છૂટ આપી શકાય નહીં.' ો કમિશનના ચેરમેને વધુમાં કહ્યું કે, 'કમિશને તો ભલામણ કરી છે કે જુગાર પર નિયંત્રણ માટે કાં તો તેને યોગ્ય રીતે રેગ્યુલાઈઝ કરવામાં આવે અથવા તેના પર પૂર્ણરુપે પાબંદી અને કાયદાનું કડક પાલન જ વ્યવહારીક વિકલ્પ છે.' લો પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જુગારને રેગ્યુલરાઈઝ કરવા માટે ત્રણ સ્તરીય રણનીતિની જરુર છે. પહેલું સટ્ટાબાજી અને હાલ બીજી પ્રવર્તમાન રીતોમાં સંશોધન(લોટરી, હોર્સ રેસિંગ), બીજુ ગેરકાયદેસર સટ્ટાબાજીને કાયદાની લગામ કસો અને ત્રીજુ તેના અંગેના કડક કાયદા બનાવો.જસ્ટિસ ચૌહાણે કહ્યું કે, જો સરકાર સટ્ટાને પૂર્ણ પાબંદીની જગ્યાએ સશર્ત કાયદેસરતા આપવા માગે તો જેમને સબ્સિડી મળે છે અથવા જે ઇન્કમ ટેકસ એકટ અથવા જીએસટી એકટના પ્રભાવમાં નથી આવતા તે દરેકને ઓલલાઇન કે ઓફલાઈન કોઈપણ પ્રકારનો સટ્ટો રમવાની પરવાનગી આપવી જોઈએ નહીં. રીપોર્ટમાં ભાર દેવામાં આવ્યો છે કે સરકાર સમાજના પછાત વર્ગોને સટ્ટાનો શિકાર થવાથી બચવાની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સાંજે આવેલ સમાચાર આવ્યા હતા કે લો કમિશને પોતાના રિપોર્ટમાં સરકારને ભલામણ કરી છે કે સટ્ટો અને જુગારને કાયદેસરતા આપી દેવી જોઈએ અને તેના પર ડાઈરેકટ ઇનડાઇરેકટ ટેકસ લગાવવો જોઈએ. આ સમાચાર બાદ રાજકીય ઘમાસાણ મચી ગયું હતું. કોંગ્રેસે ભાજપ અને મોદી પર આક્ષેપબાજી કરતા કહ્યું કે, 'જો આવું થશે તો રમતમાંથી ખેલ ભાવના દૂર થઈ જશે અને પરિવાર તેમજ સમાજ પર તેની ખરાબ અસર પડશે. કોંગ્રેસ આ કાયદો કોઈપણ રીતે બનવા નહીં દે.'

(3:14 pm IST)