Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી ઈન્દ્રનીલના શીરે

કોંગ્રેસના ધારાસભ્યો રાજકોટમાં : નીલસીટીમાં મુકામ

ધારાસભ્યો લલીત વસોયા, લલીત કગથરા, પરેશ ધાનાણી અને પીરજાદા સાથે કોંગીના પીઢ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા અને યુવા નેતા હાર્દિક પટેલનું નીલસીટીમાં આગમન : હજુ ધારાસભ્યો સાથે નેતાઓ પણ આવી રહ્યા છે

રાજકોટ : રાજયસભાની ચૂંટણી પહેલા કોંગી ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસને પોતાના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુને શીરે આપી છે સૌરાષ્ટ્રના અકીલા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ઈન્દ્રનીલભાઈ રાજયગુરુની નીલસીટી કલબમાં રાખવામાં આવ્યા છે.

મોડીરાત સુધીમાં તમામ ધારાસભ્યો પહોંચી ગયાનું જાણવા મળે છે. વિધાનસભા વિરોશ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ઈન્દ્રનીલભાઈને ફોન કરી ધારાસભ્યો માટે રહેવાની વ્યવસ્થા કરવા કહેવાયું હતું જેનો ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યોને ઇન્દ્રનીલ રાજયગુરૂના નીલસીટી કલબમાં મુકામ રાખવામાં આવ્યા છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ ઈન્દ્રનીલભાઈને ફોન કરીને ભલામણ કરતા આ વ્યવસ્થા થઇ છે દરમિયાન પૂર્વ ધારાસભ્યં ઇન્દ્રનીલ રાજયગુરૂએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સદાય કોંગ્રેસ માટે કાર્ય કરવા તત્પર રહીશ, કોંગ્રેસ માટે હંમેશા અમારી ફરજ બજાવતો રહીશ કોંગ્રેસના કોઈપણ નેતા કે કાર્યકર માટે કામ કરવા મારા દરવાજા હંમેશા ખુલ્લા રહેશે જે કોઈ કામ સોંપાશે તે કર્યા પૂરું કરીશ.

(12:00 am IST)