Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અલીગઢની ઘટનાથી પ્રિયંકા ગાંધી ગુસ્સામાં :આપણે કેવો સમાજ બનાવી રહ્યાં છીએ ?હ્ર્દય કંપી જાય છે

નૃશંસ હત્યાએ મને ઝંઝોળી દીધી છે. કોઈ પણ વ્યક્તિ આટલી નિર્દયતાથી કોઈ બાળકી સાથે આવુ કેવી રીતે કરી શકે છે?

 

નવી દિલ્હી : અલીગઢની ઘટના વિશે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, 'અલીગઢની માસુમ બાળકી સાથે થયેલી અમાનવીય અને જધન્ય ઘટનાએ હલાવી દીધી છે. આપણે કેવો સમાજ બનાવી રહ્યા છે? બાળકીના માતાપિતા પર શું ગુજરી રહી છે વિચારીને હ્રદય કંપી જાય છે. ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ

 કોંગ્રેસ અધ્યક્ષ  રાહુલ ગાંધીએ મામલે ટ્વીટ કરીને કહ્યુ, 'યુપીના અલીગઢમાં એક માસુમ બાળકીની નૃશંસ હત્યાએ મને ઝંઝોળી દીધી છે. કોઈ પણ વ્યક્તિ આટલી નિર્દયતાથી કોઈ બાળકી સાથે આવુ કેવી રીતે કરી શકે છે? ક્રૂર ગુના માટે દોષિતોને છોડવામાં નહિ આવે. હત્યારાઓને સજા અપાવવા માટે યુપી પોલિસે વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ.'

(10:35 pm IST)