Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પંજાબમાં કેબિનેટમાં ફેરફાર:ગેરહાજર નવજોત સિદ્ધુને મળ્યું મંત્રીપદ: વીજળી અને નવીન ઉર્જા સ્ત્રોત મંત્રાલય સોંપાયું

ચાર મંત્રીઓને છોડી તમામ રાજ્ય મંત્રીઓના વિભાગોમાં કેટલાક બદલાવ કરાયા

 

નવી દિલ્હી :પંજાબ કોંગ્રેસમાં આંતરિક મતભેદો વચ્ચે પંજાબ કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુને હાજર રહ્યાં હતા. બેઠક બાદ કેપ્ટન અમરિંદરે સિદ્ધુના મંત્રીપદમાં ફેરફારની જાહેરાત કરી.હતી

પંજાબ કેબિનેટની બેઠક બાદ અનેક ધારાસભ્યોનું મંત્રાલય બદલવામાં આવ્યું. લિસ્ટમાં સૌથી ચોંકાવનારું નામ નવજોત સિંહ સિદ્ધુનુ હતું. રાજ્ય સરકારના ચાર મંત્રીઓને છોડી તમામ રાજ્ય મંત્રીઓના વિભાગોમાં કેટલાક બદલાવો કરવામાં આવ્યા, જેમાં સિદ્ધુને વીજળી અને નવીન ઉર્જા સ્ત્રોત મંત્રાલયનો પ્રભાવ સોંપવામાં આવ્યો છે.

(12:00 am IST)