Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

શ્રીલંકા પછી હવે જાપાન પણ ભારતથી આવતા મુસાફરો ઉપર પ્રતિબંધ લાદી દેશે

ભારતમાં કોરોના મહામારીએ આતંક સર્જી દીધો છે તેની અસર સમગ્ર વિશ્વમાં પડી છે. એક પછી એક દેશ ભારતથી આવતા મુસાફરો ઉપર પ્રતિબંધ લાદી રહેલ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકાના પગલે હવે જાપાન પણ તુરતમાં જ ભારતથી આવનારા મુસાફરો ઉપર પ્રતિબંધ લાદી દેશે તેમ જાણવા મળે છે. જાપાન સરકાર ભારતથી આવતા મુસાફરો ઉપર આકરા નિયંત્રણો લાદવાનું પ્લાનિંગ કરી રહ્યાનું ન્યુઝફર્સ્ટ નોંધે છે.

(12:00 am IST)