Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

અયોધ્યા, મથુરા, કાશી, વૃંદાવનના મંદિરો ફૂંકી મારવા ધમકી

તંત્ર એલર્ટ : ૧રમીએ કાશી અને ૧૩મીએ અન્ય મંદિરો બોમ્બથી ઉડાવી દેવાશે

નવી દિલ્હી, તા. ૭ : કાશી વિશ્વનાથ સહિતના મંદિરો ફૂંકી મારવાની ધમકી મળતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. રવિવારે ધમકીભર્યો પત્ર મળ્યો છે, આ કારણે મંદિરોની સુરક્ષા વધારી દેવાઇ છે.મથુરાના માલગોદામ રોડ પર જીઆરપી બૈરેકની દીવાલ પર ધમકીભર્યા ચાર પત્રો લગાવવામાં આવ્યા હતાં. એક દૂધવાળાએ આ માહિતી તંત્રને આપતા તંત્ર એલર્ટ થઇ ગયું છે.

પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, ૧રમેએ કાશી વિશ્વનાથ મંદિર બોમ્બથી ફૂંકી મરાશે અને તા. ૧૩ મેએ મથુરા, વૃંદાવન, ગોરખુર, અયોધ્યાના મંદિરો બોમ્બથી ઉડાવી દેવાશે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાશી મંદિરમાં સુરક્ષા વધારી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે, કાશી વિશ્વનાથ મંદિર વિવાદની સુનાવણી ૧૦મી મેએ અલ્હાબાદ હાઇકોર્ટમાં થનાર છે.

(11:41 am IST)