Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

દિલ્હીના કોરન્ટાઇન હોમમાં જમાતીઓ પાસેથી મોબાઇલ જપ્ત કરી લેવાયા

સોશ્યલ મિડીયાના વાયરલ વિડીયો જોઇ ઉગ્ર બનતા હોવાની ફરીયાદ બાદ

નવી દિલ્હીઃ નિઝામુદીન સ્થિત મરકઝથી નીકળી દિલ્હીના વિભીન્ન કવાંરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં  આવેલ તબલીગી જમાતના લોકોના મોબાઇલ જપ્ત કરાયા છે. આ સેન્ટરમાંથી ફરીયાદો મળ્યા બાદ મોબાઇલ જપ્ત કરાયા છે. સુત્રોના જણાવ્યા મુજબ જમાતીઓ મોબાઇલમાં યુ-ટયુબ અને  અન્ય સોશ્યલ મિડીયા પરના વાયરલ વિડીયો જોઇ આ લોકો ઉગ્ર વ્યવહાર કરી રહ્યા હતા. ઉપરાંત તજજ્ઞો દ્વારા જણાવવામાં આવેલ કે મોબાઇલમાં ૯ કલાક સુધી કોરાના વાયરસ જીવીત રહે છે.

(4:01 pm IST)