Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

લોકડાઉન પૂર્ણ થશે કે નહી?

લોકડાઉનનાં કારણે રોજ ૮ અબજ ડોલરનું નુકસાન

સમગ્ર દેશમાંથી તબક્કાવાર લોકડાઉન હટાવવામાં આવી શકે છે

નવી દિલ્હી, તા.૭: લોકડાઉન પુર્ણ થવાની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ લોકોનાં મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે, ૧૪ એપ્રીલે લોકડાઉન પુર્ણ થશે કે સરકાર એકવાર ફરી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી કરશે?  હાલ રાષ્ટ્રનો સૌથી મોટો સળગતો સવાલ છે. હાલ કોરોનાનો ચેપ અટકાવવા માટે એક અબજ કરતા પણ વધારેની વસ્તી લોકડાઉન છે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખુબ જ ગંભીર નુકસાન થઇ રહ્યું છે.

સરકારને મળી રહેલા સંકેત જણાવે છે કે, એપ્રીલ ૧૪ બાદ એક જ વારમાં દેશ સાથે લોકડાઉન નહી હટાવવામાં આવે. વડાપ્રધાન આવાસ, કેબિનેટ મીટિંગ, રાજય સરકારની મીટિંગ પરતી મળી રહેલા સંકેતો અનુસાર સમગ્ર દેશમાંથી તબક્કાવાર લોકડાઉન હટાવવામાં આવી શકે છે. તેના માટે એક ટાઇમલાઇન તૈયાર કરવામાં આવશે. જેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી શકે છે.

મોદી કેબિનેટનાં એક સીનિયર મંત્રીનાં અનુસાર સરકાર ય્ર્ીદ્દજ્ઞ્ંઁર્ીશ્ર શ્રંણૂત્ત્ફુંરૃઁ ના આઇડિયા અંગે કામ કરી રહ્યા છે. જેના હેઠળ તબક્કાવાર લોકડાઉનમાંથી બહાર આવવા અંગે જોર આપવામાં આવી રહ્યું છે. સરકારની ગણત્રી અનુસાર લોકડાઉનનાં કારણે કોરોના વાયરસને કંટ્રોલ કરવામાં ખુબ જ મદદ મળી છે, પરંતુ લોકડાઉનનાં કારણે લોકો અને અર્થવ્યવસ્થાને ખુબ જ નુકસાન થઇ રહ્યું છે. નાણામંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, એક ઉપર છેલ્લી ગણત્રી અનુસાર ભારતને રોજિંદી રીતે જીડીપી લગભગ ૮ બિલિયન ડોલર છે. જો લોકડાઉનને ૩૦ દિવસ સુધી લંબાવવામાં આવે તો ૨૫૦ બિલિયન ડોલરનું નુકસાન દેશને થશે.

જો લોકડાઉનને ઝડપથી ખોલવામાં આવે તો નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આ નુકસાનની રિકવરી થઇ શકે છે. જો કે લોકડાઉન લાંબુ ખેંચાશે તો રિકવરી અસંભવ થઇ જશે. જો કે સરકારની સામે પડકાર ગંભીર છે. વડાપ્રથાન એકતરફી નિર્ણય લેવા નથી માંગતા. માટે તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી અને એકિઝટ પ્લાન અંગે તમામ મુખ્યમંત્રીઓ પાસે એકિઝટન પ્લાન તૈયાર કરીને મોકલવા માટે જણાવ્યું.

(9:59 am IST)