Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

બ્રિટનમાં કોરોના વાઇરસ સામે લડત માટે તબીબોની તંગી : ભારતીય મૂળના નિવૃત ડોક્ટરો સેવા આપવા લાગ્યા

લંડન : બ્રિટનમાં કોરોના વાઇરસના વધી રહેલા પ્રમાણ વચ્ચે તબીબોની તંગી વર્તાવાનું ચાલુ થઇ ગયું છે.તેથી સરકારે ભારત સહીત વિદેશોમાંથી આવેલા તબીબોના વિઝા એક વર્ષ માટે લંબાવી દેવાની જાહેરાત કરી છે.આ સંજોગોમાં જેઓ બ્રિટનના નાગરિક છે અને તબીબી સેવાઓ આપવામાંથી વય મર્યાદાને કારણે નિવૃત થયા છે તેવા ડોક્ટરોએ પણ સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે.તેવું  બ્રિટિશ એશોશિએશન ઓફ ફિઝીશીઅનશ ઓફ ઇન્ડિયન ઓરિજિનના ડો.રમેશ મહેતાએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

(6:01 pm IST)