Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

બિહારમાં મોટો રાજકીય કડાકો: ૪૧ નેતાઓએ સામૂહિક રીતે ઉપેન્દ્ર કુશવાહાનો સાથ છોડ્યો

બિહારમાં આરએલએસપી પક્ષમાંથી ભાગવાનો પ્રવાહ સતત ચાલુ. શનિવારે ૪૧ નેતાઓએ સામૂહિક રાજીનામાં ફગાવ્યા.  પાર્ટીના નેતા વિનય કુશવાહાએ દાવો કર્યો હતો કે આ તો માત્ર શરૂઆત થઈ છે.  આગામી દિવસોમાં પાર્ટીના વધુ નેતાઓ રાજીનામું આપશે. વિનયે કહ્યું કે, પાર્ટીના કાર્યકરો નીતિશ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હતા, પરંતુ પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ,  કુશવાહા સમુદાયને ગેરમાર્ગે દોરી હતી. "આરએલએસપી" પક્ષના ૯૦ ટકા કાર્યકરો નિતિષના જેડીયુ સાથે મર્જરની તરફેણમાં નથી.  ભવિષ્યમાં કય પક્ષ સાથે તેઓ જોડાશે તે અંગે પાર્ટીના નેતાઓની સલાહ લીધા પછી નિર્ણય લેશે. દરમિયાન ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે જેડીયુ સાથે પક્ષના વિલીનીકરણની વાત પાયાવિહોણી છે.

(10:56 am IST)