Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સંજય દત્તાની ફેનની દિવાનગીઃ પોતાની મિલકત કરી 'મુન્નાભાઇ'ના નામે

૧૫ દિવસ પહેલા મૃત્યુ પામનારી નિશીએ પોતાના બેંકમાં રહેલા નાણા અને ડિપોજીટ તેમના નામે કરી

મુંબઇ તા. ૭ : એકટર સંજય દત્તે વાલ્કેશ્વર સ્થિત બેંક ઓફ બરોડાની બ્રાંચને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. જેમાં માલાબાર હિલની રહેવાસી નિશી હરિશ્ચંદ્ર ત્રિપાઠી તરફથી વારસામાં મળેલી રકમ તેના પરિવારને પરત આપવા વિનંતી કરી.

રસપ્રદ બાબત એ છે કે, જયાં સુધી સંજય દત્ત્।ને ૨૯ જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાંથી આ અંગે જાણ કરતો ફોન ન આવ્યો ત્યાં સુધી નિશી ત્રિપાઠી કોણ છે તે અંગે અજાણ હતા. પોલીસે દત્ત્।ને જણાવ્યું કે, ૧૫ દિવસ પહેલાં મૃત્યુ પામનારી નિશીએ પોતાના બેંકમાં રહેલા નાણાં અને ડિપોઝીટ તેમના નામે કરી છે.

૬૨ વર્ષની મૃતક નિશી ત્રિપાઠી સંજય દત્ત્।ની ખૂબ મોટી પ્રશંસક હતી તેમ પોલીસે જણાવ્યું. નિશીના પરિવારને પણ આઘાત લાગ્યો જયારે તેમને નિશીની વસિયત અંગે જાણ થઈ.

જો કે નિશીના મૃત્યુ બાદ બેંકના લોકર હજુ પણ કાયદાકીય કાર્યવાહીને લઇને લોક છે. સંજય દત્ત્।ના વકીલે સુભાષ જાધવે સ્પષ્ટ કર્યું છે કે, ત્રિપાઠીની મિલકતમાંથી સંજય દત્ત્।ને કશું જ નથી જોઇતું. ત્રિપાઠીની તમામ મિલકત તેમના પરિવારને સોંપવામાં આવે.

માંદગી સામે લડતાં લડતાં મૃત્યુ પામનારી નિશી પોતાના ૮૦ વર્ષીય માતા અને ત્રણ ભાઈ-બહેન સાથે રહેતી હતી. આ પરિવાર માલાબાર હિલ સ્થિત ત્રિવેણી એપાર્ટમેન્ટમાં રહે છે. જેની કિંમત ૧૦ કરોડથી વધારે છે.

વાલ્કેશ્વરની બેંક ઓફ બરોડાના પ્રતિનિધિએ નિશીના મૃત્યુ બાદ દત્ત્।ના વકીલ અને ત્રિપાઠી પરિવારને નિશીએ સોંપેલા નોમિનેશનની વિગતવાર માહિતી આપી, જે નિશીએ તેના મોતના થોડા મહિનાઓ પહેલા કર્યું હતું. બેંકના જણાવ્યા પ્રમાણે નોમીની તરીકે 'ફિલ્મ સ્ટાર સંજય દત્ત'નું નામ અને સંજય દત્તના પાલી હિલ સ્થિત ઘરનું સરનામું આપ્યું હતું. એ પણ જાણવા મળ્યું કે અન્ય કેટલીક કિંમતી વસ્તુઓ પણ નિશીએ દત્ત્।ના નામે કરી હતી.

સંજય દત્ત્।ના વકીલ જાધવે જણાવ્યું કે, સંજય દત્ત્। નિશીની કોઇ પણ મિલકત પર દાવો નહીં કરે અને તમામ સંપત્ત્િ। નિશીના પરિવારને પરત આપવા માટે જરૂરી તમામ કાર્યવાહી કરશે.

પરિવારે આ મામલે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો. પરિવારના વકીલે પણ આ મામલે કોઇ ટિપ્પણી ન કરી. સંજય દત્ત્।ના વકીલે કહ્યું કે પરિવારને તેમની સંપત્ત્િ। પાછી અપાવવા સંજય દત્ત્। તેમના તરફથી જોઇતી તમામ મદદ કરવા તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જયારે સંજય દત્ત્।ને પોલીસે આ વસિયત અંગે માહિતી આપી ત્યારે સંજય દત્ત્। કલકત્તામાં ફિલ્મ સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર-૩નું શૂટિંગ કરી રહ્યા હતા. જયારે દત્ત્।ને તેમના ફેનની આ પ્રકારની દિવાનગી અંગે જાણ થઈ ત્યારે આઘાત લાગ્યો. સંજય દત્ત્।ે કહ્યું કે, 'આજ સુધી ફેન્સ તેમના બાળકોના નામ એકટરના નામ પરથી રાખતા, રસ્તા પર મળવા દોડતા અને અમને ગિફટ પણ આપતા. પરંતુ આ ઘટનાએ મને ચોંકાવી દીધો. હું નિશીની મિલકતમાંથી કશું જ લેવા માંગતો નથી. હું નિશીને જાણતો નથી પરંતુ સમગ્ર ઘટનાથી હું ભાવુક થયો છું'(૨૧.૧૭)

(11:58 am IST)