Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મોદીજી સમજી ગયા છે કે દેશના લોકોને તોડીને વડાપ્રધાન બની શકાય નહી:રાહુલ ગાંધીના પ્રહાર

નવી દિલ્હી :દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના લઘુમતિ અધિવેશન દરમિયાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, મોદીજી સમજી ગયા છે કે દેશના લોકોને તોડીને વડાપ્રધાન બની શકાય નહી. ભાજપવાળા કહેતા હતા કે, મોદી 15 વર્ષ સુધી વડાપ્રધાન રહેશે, પરંતુ કોંગ્રેસે તેમના આ દાવાની ધજ્જીયા ઉડાવી દીધી છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, મુસ્લીમ મહિલાઓ માટે મોદી સરકારે તીન તલાક કાયદો લાવી હતી. હવે કોંગ્રેસના લઘુમતિ અધિવેશનમાં તીન તલાક કાયદો ખતમ કરવાની જાહેરાત કરી છે.

(8:26 pm IST)