Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

અંબાણીના આંગણે આકાશ-શ્લોકાના લગ્નના ઢોલ ઢબૂકશે

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ૯ માર્ચના રોજ પ્રભુતામાં પગલા પાડશે

મુંબઈ, તા.૭: ભારતના સૌથી ધનવાન વ્યકિત તરીકે ઓળખતા મુકેશ અંબાણીના ઘરમાં ફરી એક વાર શરણાઈઓના સૂર સંભળાવાના છે. મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા આવતા મહીને લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગ્ન સમારંભ ત્રણ દિવસ સુધી ચાલશે. પ્રાપ્ય માહિતી અનુસાર, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ૯ માર્ચના રોજ પ્રભુતામાં પગલા પાડશે.

આકાશ અને શ્લોકાના લગ્નના ફંકશન્સ મુંબઈમાં જ યોજશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આકાશ અંબાણીની જાન ૩.૩૦ વાગ્યે જિયો સેન્ટર પહોંચશે. ૧૧ માર્ચના રોજ રિસેપ્શન પણ યોજાશે. જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને પણ આમંત્રણ આપવામાં આવશે. રિસેપ્શનનું ફંકશન પણ જિયો સેન્ટરમાં જ યોજાશે.

લગ્ન પહેલા આકાશ અંબાણી બેચલર પાર્ટી પણ આપશે. આ પાર્ટી ૨૩-૨૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પાર્ટીમાં બી ટાઉનના ઘણા સેલિબ્રિટીઝ હાજરી આપી શકે છે. આકાશ અંબાણી પોતાની બેચલર પાર્ટી સ્વિત્ઝરલેન્ડના સેન્ટ માર્ટિસ ખાતે આપશે. જેમાં તેના ખાસ મિત્ર કરણ જોહર અને રણબીર કપૂર સ્વિત્ઝરલેન્ડ જશે.(૨૩.૧૧)

(3:19 pm IST)