Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પાકિસ્તાન સાથે વાતચીત બંધ કરો : પાકિસ્તાનના પાંચ ટુકડા કરવાનો સમય પાકી ગયો:પ્રવીણ તોગડીયા

કાશ્મીરમાં આતંકી હુમલાથી પ્રવીણ તોગડીયા લાલઘૂમ:સરકારના વલણની ઝાટકણી કાઢી

 

નવી દિલ્હી ;વિશ્વ હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય નેતા પ્રવીણ તોગડીયાએ કાશ્મીરમાં હોસ્પિટલ પર થયેલ આતંકી હુમલાની નિંદા કરી મામલે ભાજપની ઝાટકણી કાઢીને સરકારને સલાહ આપતા કહ્યું હતું કે હવે પાકિસ્તાન સાથે વાતચીત બંધ કરો. પાકિસ્તાનના પાંચ ટૂકડા કરવાનો સમય પાકી ગયો છે.

    વિશ્વ હિંદૂ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાએ કાશ્મીરમાં આતંકી હુમલાને નિંદનીય ગણાવ્યો હતો. જો કે મામલે તેમણે સરકારની કૂણું વલણ અખત્યાર કરવા અંગે ટિકા કરતા સલાહ આપી હતી કે પાકિસ્તાન સાથે વાતચીત બંધ કરી યુદ્ધ કરો. ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા. હવે પાકિસ્તાનના 5 ટુકડા કરવાનો સમય આવ્યો છે.

(9:15 am IST)