Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

નિર્ભયા કેસમાં ક્યારે શું બન્યું

દયાની અરજી ફગાવવા કેન્દ્રએ સ્પષ્ટ કહ્યું હતું

નવી દિલ્હી,તા. :  સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસમાં દિલ્હીની એક અદાલતે આજે ચારેય અપરાધીઓને  મોતની સજા માટે ડેથ વોરંટ જારી કરી દેતા નરાધમોને ક્યારે ફાંસી અપાશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. પટિયાળા હાઉસ ોકર્ટે આજે લાંબી સુનાવણી કરી હતી. નિર્ભયા કેસમાં ક્યારે શું બન્યુ તે નીચે મુજબ છે.

૧૬મી ડિસેમ્બર ૨૦૧૨

દિલ્હીના મુનીરકા વિસ્તારમાં ચાલતી બસમાં નિર્ભયા પર લોકોએ ગેંગરેપ ગુજાર્યો હતો જેથી દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ રેપ પીડિતા અને તેના સાથીને ચાલતી બસમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. બંનેને ગંભીર ઇજાઓ થઇ હતી. મોડેથી નિર્ભયાનું મોત થયું હતું.

૨૯મી ડિસેમ્બર ૨૦૧૨

દેશભરમાં લોકોના આક્રોશ વચ્ચે ગંભીરરીતે ઇજાગ્રસ્ત રહેલી પીડિતાને સારવાર માટે સિંગાપોર મોકલી દેવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી દેશભરમાં નારાજગીનું મોજુ વધી ગયું હતું. લોકો જાહેરરસ્તા પર મેદાનમાં આવી ગયા હતા અને નરાધમોને અતિ કઠોર સજા કરવાની માંગ થઇ હતી.

૧૧મી માર્ચ ૨૦૧૩

જોરદાર વિરોધ પ્રદર્શન વચ્ચે દબાણ વધતા પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ તપાસનો સિલસિલો રૂ થયો હતો. ગાળા દરમિયાન મુખ્ય આરોપી રામસિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

૩૧મી ઓગસ્ટ ૨૦૧૩

સમગ્ર મામલામાં અપરાધીઓ પૈકી એક કિશોર હોવાથી તેને જુએનાઇલ આવાસમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને જુએનાઇલ કોર્ટ તરફથી ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. શખ્સ પણ ખુબ ખતરનાક હોવાથી તેને પુખ્તવયના તરીકે ગણીને તેની સામે કોઇ રાહત રાખવા અને કોઇ દયા દર્શાવવા માટે રજૂઆત કરાઈ હતી

૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩

નિર્ભયા ગેંગરેપ મામલામાં ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે સાકેત કોર્ટે બાકી રહેલા ચાર અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ત્યારબાદ તમામ અપરાધીઓએ ચુકાદાની સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

૧૩મી માર્ચ ૨૦૧૪

મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી પછી હાઈકોર્ટે અતિસંવેદનશીલ મામલામાં અપરાધીઓને કોઇપણ પ્રકારની રાહત આપી હતી અને ફાંસીની સજા અકબંધ રાખી હતી

૫મી મે ૨૦૧૭

ન્યાયિક પ્રક્રિયા હેઠળ આરોપીઓએ હાઈકોર્ટમાંથી ફાંસીની સજા મળી ગયા બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અહીંથી પણ બળાત્કારીઓને કોઇપણ પ્રકારની રાહત મળી હતી અને ફાંસીની સજા ઉપર સુપ્રીમ કોર્ટે મંજુરીની મહોર મારી દીધી હતી

૯મી જુલાઈ ૨૦૧૮

સુપ્રીમ કોર્ટે ચારેય નરાધમોને ફાંસીની સજા અકબંધ રાખ્યા બાદ ચારેયને ફેરવિચારણા અરજી દાખલ કરવાની રૂ પડી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે તેમની ફેરવિચારણા અરજીને ફગાવીને સજાને અકબંધ રાખી હતી

૯મી નવેમ્બર ૨૦૧૯

નિર્ભયા ગેંગરેપમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા આરોપી વિનય શર્મા તરફથી દયાની અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ ફગાવી દેવાઈ હતી

પહેલી ડિસેમ્બર ૨૦૧૯

દિલ્હી સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયને ગેંગરેપ મામલામાં અરજીને ફગાવી દેવા માટે ભલામણ કરી હતી જેને સ્વિકારી લેવાઈ હતી. છઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રપતિ સમક્ષ જધન્ય અપરાધીઓને કોઇપણ પ્રકારની દયા રાખવા માટે અપીલ કરી હતી

૭મી જાન્યુઆરી ૨૦૨૦

૭મી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પટિયાલા હાઉસ કોર્ટે તમામ ચારેય નરાધમો સામે ડેથવોરંટ જારી કરીને ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે વાગે તિહાર જેલમાં ફાંસી આપવા માટે આદેશ કર્યો હતો

(7:32 pm IST)