Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

JNUના અધ્યક્ષ આઈશી ઘોષ સહિતના 19 લોકો વિરુદ્ધ ફરિયાદ : દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી

સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવો અને સર્વર રૂમને નુકસાન કરવાનો આરોપ

નવી દિલ્હી : દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે થયેલી હિંસાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.દિલ્હી પોલીસે જેએનયુએસયુના અધ્યક્ષ આઈશી ઘોષ અને અન્ય 19 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે.

 ચાર જાન્યુઆરીએ થયેલી હિંસામાં સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવો અને સર્વર રૂમને નુકસાન કરવા સંબંધિત બાબતે આઈશી ઘોષ સામે ફરિયાદ દાખલ થઈ છે.

પોલીસે જેએનયુ તંત્રની ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરી છે. ઉલ્લેખનિય છે કે, પાંચ જાન્યુઆરીએ જેએનયુમાં થયેલી હિંસામાં તો આઈશી ઘોષણ પણ ઘાયલ થઈ હતી. તેના માથા પરથી ઘણું લોહી વહેતુ જોવા મળ્યુ હતુ.

(12:11 pm IST)