Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જેએનયુમાં અમે હિંસા કરાવીઃ હિન્દુ રક્ષા દળનો દાવો

હિન્દુ રક્ષા દળના અધ્યક્ષ પિન્કી ચૌધરીનો દાવો...બુકાનીધારી અમારા કાર્યકરો હતાઃ જેએનયુમાં દેશ વિરોધી પ્રવૃતિ થાય છે જે સહન થઈ શકે તેમ નથી

નવી દિલ્હી, તા. ૭ :. જેએનયુ હિંસાને લઈને ગઈકાલે રાત્રે એક વિડીયો વાયરલ થયો છે. જેમાં હિન્દુ રક્ષા દળ સંગઠનના અધ્યક્ષ પિન્કી ચૌધરીએ દાવો કર્યો છે કે મેં કેમ્પસમાં હુમલો કરાવ્યો હતો. ચૌધરીનું કહેવુ છે કે મારા જ કાર્યકર્તાઓએ ત્યાં હિંસા કરી હતી. તેમણે હિંસાની જવાબદારી લેતા આરોપ મુકયો હતો કે જેએનયુમાં દેશ વિરોધી પ્રવૃતિઓ થાય છે અને આવી પ્રવૃતિ સહન કરી ન લેવાય.

જેએનયુ સંકુલમાં રવિવારે રાત્રે બુકારીધારીઓએ છાત્રો અને ટીચર્સ પર હુમલો કર્યો હતો. આ મામલામાં હજુ સુધી કોઈની ધરપકડ નથી થઈ પરંતુ હિન્દુ રક્ષા દળ નામના સંગઠને વિડીયોમાં દાવો કર્યો છે કે ત્યાં જે ગતિવિધિ થાય છે તે સહન ન કરી શકાય. આ લોકો આપણા દેશમાં રહે છે, આપણા દેશમાં ખાય છે, આપણા દેશમાં શિક્ષણ પ્રાપ્ત કરે છે છતાં જે પ્રવૃતિ કરે છે જે અમે સહન કરી શકીએ તેમ નથી.

અત્રે નોંધનીય છે કે જેએનયુ હિંસાના ઘેરા પડઘા પડયા છે અને અનેક સંગઠનોએ ટીકા કરી છે. સરકારે પણ તપાસના આદેશો આપ્યા છે.

(10:20 pm IST)