Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

નિર્ભયા ગેંગરેપમાં દોષિતો સામે ડેથ વોરંટ જારી, ૨૨મીએ ફાંસી

પટિયાલા હાઉસ કોર્ટે લાંબી સુનાવણી બાદ ડેથ વોરંટ જારી કર્યું : દોષિતોને આજથી ૧૪ દિવસ બાદ ફાંસી અપાશે : તિહાર જેલમાં જ સવારે ૭ વાગે ફાંસી અપાશે : દસ્તાવેજો મળ્યા બાદ ક્યુરેટિવ પિટિશન થઇ શકે છે

મુંબઇ, તા. :  સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા  ગેંગરેપ કેસમાં દિલ્હીની એક અદાલતે આજે ચારેય અપરાધીઓને  મોતની સજા માટે ડેથ વોરંટ જારી કરી દેતા નરાધમોને ક્યારે ફાંસી અપાશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. પટિયાળા હાઉસ ોકર્ટે આજે લાંબી સુનાવણી કરી હતી. ત્યારબાદ ડેથ વોરંટ જારી કરતા દેશભરમાં આની ચર્ચા રહી હતી. કોર્ટના ચુકાદા મુજબ ચારેય નરાધમોને હવે ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે સાત વાગે તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવનાર છે. આની સાથે સ્પષ્ટ થઇ ગયુ છે કે દોષિતોને આજતી ૧૪ દિવસ બાદ ફાંસી આપી દેવામાં આવનાર છે. ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ ઓછામાં ઓછા ૧૪ દિવસનો સમય આપવામાં આવે છે.

              આ ૧૪ દિવસના સમય ગાળા દરમિયાન ફાંસી માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે તિહાર જેલ વહીવટીતંત્રેને નોટીસ જારી કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. બીજી બાજુ દોષિતોના વકીલ એપી સિંહે કહ્યુ છે કે દસ્તાવેજો મળી ગયા બાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરનાર છે. કોર્ટના ચુકાદા પહેલા આજે દોષિત અક્ષય દ્વારા જજ સાથે વાત કરવાની મંજુરી માંગી હતી. ત્યારબાદ જજે મિડિયાને કોર્ટની બહાર જવા માટે કહ્યુ હતુ. દોષિતે કહ્યુ હતુ કે તે જજને એકલામાં કંઇ કહેવા માંગે છે. અક્ષય દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે તેના દ્વારા ક્યારેય કાનુની પ્રક્રિયામાં વિલંબ કરવાના પ્રયાસ કર્યા નથી. માત્ર પોતાની કાયદાકીય પ્રક્રિયાને પાળી છે. પહેલા બપોરે -૩૦ વાગે જજ વિડિયો કોન્ફરન્સ રૂમમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ વકીલ પણ રૂમમાં પહોંચી ગયા હતા. ઇન્ટરનેટ કનેક્શનમાં વિલંબ થવાના કારણે સુનાવણીમાં વિલંબ થયો હતો.

             આ પહેલા સુનાવણી દરમિયાન દોષિતના વકીલ અને નિર્ભયાના માતાના વકીલ વચ્ચે આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. નિર્ભયાની માતાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, દોષિત સમય મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. આના ઉપર દોષિતોના વકીલે કહ્યું હતું કે, તેમના અસીલ ક્યુરેટિવ અરજી દાખલ કરવા ઇચ્છુક છે. પટિયાલા હાઉસ કોર્ટમાં દોષિતોના વકીલે દલીલ કરી હતી કે, તેઓ પોતાના અસીલોને મળી શક્યા નથી. નિર્ભયાના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, ચારેય દોષિતોની સામે ડેથ વોરટ જારી થાય તે રૂરી છે. વે પટિયાલા હાઉસ કોર્ટના ચુકાદા બાદ નરાધમ મુકેશ, વિનય, અક્ષય અને પવનને ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે વાગે ફાંસી અપાશે. ગયા વર્ષે ૯મી જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટે ત્રણ અપરાધીઓની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને ફાંસીની સજા અકબંધ રાખી તી. ૪થી મેના દિવસે પવન, વિનય અને મુકેશની રિવ્યુ પિટિશન ઉપર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. બનાવની વરસીના દિવસે દિલધડક અને કમકમાટીપૂર્ણ ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી.  

             ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એક પેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરી કરી હતી વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યો હતો. બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હતું. હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મત થઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા જેના પરિણામ સ્વરૂપે સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી. કેસના મામલામાં બળાત્કારીઓન ફાંસીની સજા ફટકારવામાં આવી હતી પરંતુ હવસખોરોએ હજુ સુધી બોધપાઠ લિધા નથી.

             પહેલા કરતા ગુનાઓ વધ્યા છે. મહિલાઓ આજે પણ સુરક્ષિત દેખાઈ રહી નથી. બળાત્કારના કેટલાક કેસોમાં સગાસંબંધિઓ પણ નિકળે છે. નિચલી કોર્ટે ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે ચારેય અપરાધીઓને ફાંસીની સજા આપી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ૧૩મી માર્ચ ૨૦૧૪ના દિવસે ચારેય અપરાધી અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા અને મુકેશની અપીલને ફગાવી દીધી હતી અને ફાંસીને માન્ય રાખી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ પહોંચી હતી જ્યાં પણ અપરાધીઓને કોઇ રાહત મળી હતી અને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને માન્ય રાખી હતી.

નિર્ભયા રેપ ઘટનાક્રમ

*          ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે રાત્રે દિલ્હીમાં ગેંગરેપની ઘટના બની હતી

*          પેરામેડિકલની વિદ્યાર્થીનિ પર ચાલતી બસમાં કેટલાક નરાધમ દ્વારા અમાનવીય રીતે બળાત્કાર કરાયો હતો

*          વિદ્યાર્થિની પોતાના મિત્ર સાથે ઘરે જવા માટે બસમાં બેસી ગયા બાદ તેના પર અત્યાચાર કરાયો હતો

*          બનાવમાં તે એટલી હદ સુધી ઇજાગ્રસ્ત થઇ હતી કે તેનુ થોડાક દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ મોત થયું હતુ

*          ૩૧મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે તેના મોત બાદ દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનનો દોર ચાલ્યો હતો

*          વખતે હચમચી ઉઠેલી સરકારને તરત મહિલાઓ પર થતા અત્યાચાર કાયદામાં સુધાર કર્યા હતા

*          સપ્ટેમ્બર મહિના સધી સુનાવણી પૂર્ણ કરીને રેપના અપરાધીઓને ફાંસીની સજા કરવામાં આવી હતી

(7:30 pm IST)