Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ગુજરાતમાં શિશુના મોતનો દિલ્હીમાં પડઘો : કોંગ્રેસે મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામુ માંગ્યું

 

નવી દિલ્હી :રાજસ્થાનની કોટા બિકાનેર હોસ્પિટલમાં નાના બાળકોના મોત મુદ્દે રાજકીય ધમાસાણ બાદ મુખ્યમંત્રી રૂપાણીના હોમટાઉન રાજકોટમાં એક મહિનામાં 134 બાળકોના મોત થયાં છે. ગુજરાતમાં શિશુ મૃત્યુદરનો મુદ્દો  છેક દિલ્હી સુધી સંભળાઈ છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સવાલ ઉઠાવી રૂપાણીનું રાજીનામુ માગ્યું છે.

અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કુલ ૨૧૯ થી વધુ બાળકોના મોત નિપજ્યા છે. સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસે ભાજપની ટોચની નેતાગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા જણાવ્યું હતું કે ગુજરાતમાં બાળકોના મોત મુદ્દે અમિતભાઈ  શાહ અને નરેન્દ્રભાઈ  મોદી કેમ ચૂપ છે? જ્યારે કોંગ્રેસના નેતા અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં એક વર્ષમાં ૧૨૫૦ બાળકોના મોત નિપજ્યા છે. ગુજરાત મોદી અને શાહ બન્નેનું ગૃહ રાજ્ય છે તેમ છતાં બન્ને મામલે હજુ પણ મૌન છે.

(8:54 am IST)