Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પાકિસ્તાનમાં નનકાના સાહેબ ગુરુદ્વારા ઉપર હુમલાના આરોપી ઇમરાન ચિસ્તીની ધરપકડ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં નનકાના સાહેબ ગુરુદ્વારા ઉપર હુમલાના  આરોપી ઇમરાન ચિસ્તીની ધરપકડ કરવામાં આવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેના ઉપર ગુરુદ્વારામાં પથ્થરમારો કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવાયો છે.ગયા સપ્તાહમાં બનેલી આ ઘટનાના ભારત સહીત વિશ્વભરમાં વસતા શીખોમાં બહુ ઘેરા પડઘા પડ્યા હતા.

આરોપીએ રચેલા ષડયંત્ર મુજબ ગુરુદ્વારા ઉપર હુમલો કરવા ઉપરાંત શીખોનું નિકંદન કાઢી નાખવા અને શહેરનું નામ પણ બદલી નાખવાનો ઈરાદો હોવાનું જણાતાં પંજાબ પોલીસે તેની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને હુમલાની નિંદા કરવાને બદલે બનાવટી વિડિઓ શેર કર્યો હતો.

(12:43 pm IST)