Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓમીક્રોનનો વધતો કહેર :રાજસ્થાનમાં ઓમિક્રૉનના નવા 9 કેસ અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ 8 કેસ સાથે દેશમાં કુલ 21 કેસ નોંધાયા

પિંપરી ચિંચવાડમાં 6 અને પૂણેમાં 1 કેસ :દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો

નવી દિલ્હી :  દેશમાં કોરોનાના નવા પ્રકારોનો પ્રકોપ હવે રોજ વધી રહ્યો છે. રવિવારે સાંજ  સુધીમાં દેશમાં કુલ 21 ઓમિક્રોન કેસ નોંધાયા હતા.  સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનના વધુ 7 કેસ નોંધાયા છે.જેમાં પિંપરીમાં વધુ 6 અને પુણેમાં વધુ 1 કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે. જ્યારે સમગ્ર દેશમાં 21 કેસ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના બીજા તરંગની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી હતી.

આ પહેલા શનિવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો હતો. જે બાદ દેશમાં 4 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ રવિવારે સવારે દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો હતો.

44 વર્ષીય મહિલા, જે ભારતીય મૂળની નાઈજિરિયન નાગરિક છે, તેની 12 વર્ષ અને 18 વર્ષની બે દીકરીઓ સાથે 24 નવેમ્બરે પુણેની બાજુમાં આવેલા પિંપરી ચિંચવાડમાં તેના ભાઈને મળવા નાઈજિરિયાના લેગાસથી આવી હતી. ત્રણેયના જિનોમ સિક્વન્સિંગ રિપોર્ટમાં આ ઓમિક્રોન વેરિઅન્ટ પોઝિટિવ જોવા મળ્યા છે. આ સાથે, તેનો 45 વર્ષીય ભાઈ અને તેની 1.5 અને 7 વર્ષની બે પુત્રીઓ પણ ઓમિક્રોન વેરિઅન્ટમાં પોઝિટિવ મળી આવી છે. આ 6 લોકોમાંથી 3 લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને સ્વાભાવિક છે કે તેમને કોરોનાની કોઈ રસી નથી મળી

(12:00 am IST)