Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

૧૦ લાખ જવાનો પહેરશે ખાદીથી તૈયાર ડ્રેસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મેક ઇન ઇન્ડિયા ખાદીને પ્રોત્સાહન આપવા અંગેનો નિર્ણય

નવી દિલ્હી,તા.૬:અર્ધસૈનિક બળોના ૧૦ લાખ જવાન હાથથી ગુંથેલા કપડાં અથવા ખાદીથી તૈયાર કરવામાં આવેલા ડ્રેસ પહેરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહએ આ નિર્ણય લીધો છે. જાણવા મળી રહ્યું છે કે શાહે દરેક પેરા મિલિટરી બળોના પ્રમુખો સાથે તેની સંભાવના શોધવા માટે કહ્યું છે કે મેક ઈન ઇન્ડિયા અભિયાન હેઠળ ખાદીને પ્રોત્સાહન આપવા માટે જવાનોની વર્દીમાં તેનો પ્રયોગ કેવી રીતે વધારાશે.ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, સીઆરપીએફ, બીએસએફ, એસએસબી, આઇટીબીપી, સીઆઈએસએફ, એનએસજી અને અસાં રાઈફલ્સના ૧૦ લાખ જવાનોને ટેરી-ખાદીથી તૈયાર ડ્રેસ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ અંગે કેન્દ્રીય બળોની ખાદી તેમજ ગ્રામોઉદ્યોગ ઉદ્યોગ પાંચ સાથે વાતચીત ચાલી રહી છે.પાંચ તરફથી બળોની તપાસ પરખ માટે કેટલાક સેમ્પલ પણ મોકલવામાં આવ્યા છે.અંતિમ રૂપ તૈયાર આપ્યા બાદ વર્દી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સતત ખાદીનો ઉપયોગ વધારવા પર જોર આપી રહ્યા છે. અને તેઓએ તેને આંદોલનના રૂપે આપવાની વકાલત કરી છે. તમામ સરકારી સંસ્થાનોમાં ખાદીનો ઉપયોગને પ્રોત્સાહન મળ્યું છે.

(3:58 pm IST)