Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ઉન્નાવ રેપ પીડિતાને લખનૌથી દિલ્હી એરલીફટ કરાઈઃ ગંભીર

બળાત્કારના આરોપીઓએ જામીન પર છુટયા બાદ યુવતિને જીવતી સળગાવતા શરીર ૯૦ ટકા બળી ગયેલ

નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ પીડિતાને સફદરજંગ હોસ્પીટલથી એરલીફટ કરી દિલ્હી લાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પીડિતાની હાલત વધુ ગંભીર થઈ ગઈ છે. ૯૦ ટકા સુધી સળગી ગયેલ પીડિતાના શરીરના અંદરના ભાગ પણ આગમાં આવી જતા મુશ્કેલી વધી ગઈ છે. આજ ેપીડિતાના બે નાના ઓપરેશનો કરે તેવી પણ શકયતા છે. કમરથી નીચેના ભાગોને સૌથી વધુ નુકશાન થયુ છે. શરીરમાં ફેલાતા ઈન્ફેકશન ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. જો ઈન્ફેકશન શરીરમાં પ્રસરે તો તેને કન્ટ્રોલ કરવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. ગઈકાલે લખનૌ એરપોર્ટથી દિલ્હી પાલમ એરપોર્ટ ખાતે લાવવા માટે લખનૌમાં ૧૩ કિમીનો ગ્રીન કોરીડોર બનાવામાં આવ્યો હતો.

(3:22 pm IST)