Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધૂનું ગળું ખરાબ : તબીબોએ આપી ચાર-પાંચ દિવસ નહીં બોલવાની સલાહ

સિદ્ધૂએ 17 દિવસમાં 70 રેલીઓને સંબોધી ;આરોગ્ય પર વિપરીત અસર

નવી દિલ્હી :પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધૂનું ગળું ખરાબ થઈ ગયું છે. તબીબોએ સિદ્ધૂને ચાર-પાંચ દિવસ આરામ કરવાની અને હાલ નહીં બોલવાની સલાહ આપી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં સિદ્ધૂએ 17 દિવસમાં 70 રેલીઓને સંબોધિત કરી છે.જેના કારણે તેમનું ગળું ખરાબ થતા તેમને તબીબોએ આરામ કરવાની સલાહ આપી છે

   તબીબોએ સિદ્ધૂને કહ્યુ છે કે તેઓ પોતાનો અવાજ ગુમાવવાની અણિ પર હતા. તબીબો મુજબ હેલિકોપ્ટર દ્વારા સતત પ્રવાસ કરવાને કારણે તેમના આરોગ્ય પર વિપરીત અસર પડી છે.

  નવજોત સિદ્ધૂ પહેલેથી જ એમ્બોલિઝમની સારવાર લઈ રહ્યા છે.પાંચ રાજ્યોના ચૂંટણી પ્રચાર અભિયાનમાં રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના ઉમેદવારો તરફથી નવજોતસિંહ સિદ્ધૂની સૌથી વધુ માગણી કરવામાં આવતી હતી.

(7:10 pm IST)