Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાજસ્થાન-તેલંગણામાં મતદાન માટે તખ્તો તૈયાર : ભારે ઉત્સાહ

બંને રાજ્યોમાં કાલે ડિસેમ્બરના દિવસે ઉંચા મતદાનની વકી : રાજસ્થાનના સટ્ટાબજારમાં જ નહીં બલ્કે કોલકતા તેમજ રાજકોટમાં પણ સટ્ટાબજારમાં હવે ભાજપને લાભ અપાયો

નવી દિલ્હી,તા. ૬: રાજસ્થાન અને તેલંગાણામાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. બંને રાજ્યોમાં મતદાન કરવા માટે મતદારો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ વિધાનસભા ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર રહ્યા બાદ હવે મતદાન થનાર છે. ક્યાં કોંણ બાજી મારશે અને કોની સરકાર બનશે તે અંગે હવે ૧૧મી ડિસેમ્બરના દિવસે જાણી શકાશે. એકબાજુ રાજસ્થાનમાં ૪.૭૫ કરોડ મતદારો ૨૨૭૪ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે તૈયાર છે. તમામ મતદાન કેન્દ્રો પર તમામ તૈયારી કરી લેવામાં આવી છે. જરૂરી પગલા પણ લેવામાં આવી ચુક્યા છે. છત્તિસગઢ, મિઝરમ, મધ્યપ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે અને હવે રાજસ્થાન અને તેલંગણામાં મતદાન યોજનાર છે. બંને રાજ્યમાં પણ ઉંચા મતદાનની ખાતરી કરવા માટે ચૂંટણી પંચે તમામ તૈયારી કરી છે. કોઇ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પગલા લેવામાં આવ્યા છે.  છેલ્લા થોડાક દિવસમાં રાજસ્થાન અને તેલંગણમાં  સેંકડો રેલીઓ યોજાઈ હતી અને રોડ શો યોજાયા હતા. જયપુરથી પ્રાપ્ત અહેવાલ મુજબ અને ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ રાજ્યમાં ચૂંટણી મેદાનમાં ૨૨૭૪ ઉમેદવારો રહેલા છે જેમાં ૧૮૯ મહિલાઓનો સમાવેશ થાય છે. ૨૦૦ વિધાનસભા બેઠક પૈકી ૧૯૯ બેઠક માટે ૭મી મતદાન યોજાશે. રાજસ્થાનમાં કુલ ૫૧૬૮૭ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં કુલ ૪.૭૫ કરોડ મતદારો છે જે પૈકી ૨૨૭૧૫૩૯૬ મહિલા મતદારો છે. હાલમાં અલવર જિલ્લાના રામગઢ મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી છે. બુધવારના દિવસે પ્રચારનો સાડા પાંચ વાગે અંત આવ્યો હતો. મતદાન સવારે ૮ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે. રાજસ્થાનમાં મુખ્ય ચૂંટણી અધિકારી આનંદકુમારે કહ્યું છે કે, યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાજસ્થાનમાં ગોઠવી દેવામાં આવી છે. રાજ્યમાં ૪.૭૫ કરોડ નોંધાયેલા મતદારો છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમા પર છે. પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરદાર રીતે સક્રિય રહ્યા હતા. રાજસ્થાનમાં ૨૦૦ વિધાનસભાની ચૂંટણી પૈકી ૧૯૯ પર હવે સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન થનાર છે. બંને રાજ્યોમાં મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, અશોક ગહેલોત અને સચિન પાઇલોટે તમામ તાકાત લગાવી દીધી હતી. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યુ છે કે મુખ્યપ્રધાન રાજેને છેલ્લા પાંચ વર્ષમાં સામાન્ય લોકો માટે સમય જ મળ્યો નથી. રાહુલે કહ્યુ છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રાજ્યમાં ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ વિકસિત કરવામાં આવનાર છે. મોદીએ પ્રચારના છેલ્લા દિવસે આજે બે રેલી કરનાર છે. જેમાં પહેલી પાલીના સુમેરપુર અને બીજી દૌસામાં રેલી યોજી હતી. બીજી બાજુ તેલંગાણામાં પણ ચૂંટણી પ્રચારનો ગઇકાલે બુધવારના દિવસે  અંત આવ્યો હતો. અહીં પણ સાતમીએ જ મતદાન થશે. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો છે. ૧૮૨૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ટીઆરએસ સામે આ વખતે કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાણા જનસમિતિના મહાગઠબંધનનો મુકાબલો છે. ઓવૈસીની પાર્ટી પણ મેદાનમાં છે. આ પાર્ટી તમામ ૧૧૯ સીટો પર લડી રહી છે. કોંગ્રેસે ૯૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેલંગાણામાં કુુલ મતદારોની સંખ્યા ૨.૮૦ કરોડ છે. તેલંગાણામાં નિષ્પક્ષ ચૂંટણીની કાતરી કરવા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે ત્રીજી ડિસેમ્બર સુધી ૧૧૧ કરોડ રૂપિયાની કિંમતની અન્ય ચીજવસ્તુઓ અને રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ૯૪.૧૭ કરોડની રકડ જપ્ત કરવામાં આવી હતી. ટેલિવિઝન ન્યુઝ ચેનલમાં પેઇડ ન્યુઝમાં ૧૩૦૬ કેસ નોંધાયા હતા જે પૈકી ૩૦૩ કેસો હૈદરાબાદમાં દાખલ થયા હતા. કોંગ્રેસે ૯૯ ઉમેદવારો, ટીડીપી ૧૩, ટીજેએસે ૦૮ અને સીપીઆઈએ ૦૩ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ટીઆરએસે ૬૩, કોંગ્રેસે ૨૧, ટીડીપીએ ૧૫, ભાજપે પાંચ બેઠકો જીતી હતી. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી પરિવર્તનની સ્થિતી રહેલી છે. જો કે આ વખતે કેટલાક નવા સમીકરણ રચાવવાના સંકેત દેખાઇ રહ્યા છે. ભાપ અને કોંગ્રેસ બળવાખોરોને લઇને પરેશાન છે. રાજસ્થાનની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પ્રચારમાં દેખાયા ન હતા. ખેડુતોની સમસ્યા, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દા કરતા રાષ્ટ્રીય મુદ્દા પ્રચાર દરમિયાન વધારે ચમક્યા હતા. આશરે ૫૦ સીટો પર બળવાખોર ઉમેદવાર મેદાનમાં છથે. રાજ્યમાં ૮૩૦ સ્વતંત્ર ઉમેદવાર પણ છે.

૧૯૯ સીટ માટે મતદાન થનાર છે

રાજસ્થાનનું ચૂંટણી ચિત્ર

નવીદિલ્હી, તા. ૬: રાજસ્થાનમાં આવતીકાલે  સાતમી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. રાજસ્થાનમાં ૪.૭૫ કરોડ મતદારો ૨૨૭૪ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે તૈયાર છે. તમામ મતદારો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. આવતીકાલે મતદાન સવારે ૮ વાગ્યા શરૂ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે. રાજસ્થાનમાં મુખ્ય ચૂંટણી અધિકારી આનંદકુમારે કહ્યું છે કે, યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાજસ્થાનમાં ચૂંટણીને લઇને ગોઠવી દેવામાં આવી છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી પરિવર્તનની સ્થિતી રહેલી છે. જો કે આ વખતે કેટલાક નવા સમીકરણ રચાવવાના સંકેત દેખાઇ રહ્યા છે. ભાપ અને કોંગ્રેસ બળવાખોરોને લઇને પરેશાન છે. રાજસ્થાનની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પ્રચારમાં દેખાયા ન હતા. ખેડુતોની સમસ્યા, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દા કરતા રાષ્ટ્રીય મુદ્દા પ્રચાર દરમિયાન વધારે ચમક્યા હતા. રાજસ્થાનમાં ચૂંટણી ચિત્ર નીચે મુજબ છે.

કુલ વિધાનસભા સીટો.................................... ૨૦૦

ચૂંટણી યોજાશે............................................... ૧૯૯

ચૂંટણી મોકુફ થઇ.................... રામગઢ મતવિસ્તાર

ઉમેદવારો મેદાનમાં.................................... ૨૨૭૪

મહિલા ઉમેદવારો......................................... ૧૮૯

મતદારોની સંખ્યા............................... ૪.૭૫ કરોડ

પુરૂષ મતદારોની સંખ્યા.................... ૨૪૭૨૨૩૬૫

મહિલા મતદારોની સંખ્યા................. ૨૨૭૧૫૩૯૬

મતદાન મથકોની સંખ્યા........................... ૫૧૬૮૭

મતદાનની તારીખ............................ ૭મી ડિસેમ્બર

મતદાન યોજાશે................................. ૮થી ૫ વાગે

૧૯૯ સીટ માટે મતદાન થનાર છે તેલંગાણાનું ચૂંટણી ચિત્ર

નવીદિલ્હી, તા. ૬: તેલંગાણામાં આવતીકાલે સાતમી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે.તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો છે. ૧૮૨૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ટીઆરએસ સામે આ વખતે કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાણા જનસમિતિના મહાગઠબંધનનો મુકાબલો છે. ઓવૈસીની પાર્ટી પણ મેદાનમાં છે. આ પાર્ટી તમામ ૧૧૯ સીટો પર લડી રહી છે. કોંગ્રેસે ૯૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેલંગાણામાં કુુલ મતદારોની સંખ્યા ૨.૮૦ કરોડ છે. તેલંગાણામાં નિષ્પક્ષ ચૂંટણીની કાતરી કરવા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે ત્રીજી ડિસેમ્બર સુધી ૧૧૧ કરોડ રૂપિયાની કિંમતની અન્ય ચીજવસ્તુઓ અને રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ૯૪.૧૭ કરોડની રકડ જપ્ત કરવામાં આવી હતી. ટેલિવિઝન ન્યુઝ ચેનલમાં પેઇડ ન્યુઝમાં ૧૩૦૬ કેસ નોંધાયા હતા જે પૈકી ૩૦૩ કેસો હૈદરાબાદમાં દાખલ થયા હતા.રાજ્યમાં કોની સરકાર બનશે તેને લઇને હજુ કોઇ પણ રાજકીય પંડિત વાત કરવાની સ્થિતીમાં નથી. કારણ કે તીવ્ર સ્પર્ધા દેખાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેટલીક સભા કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થિતીમાં પણ અહં સુધારો થઇ શકે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તમામ તાકાત લગાવી દીધી છે.   તેલંગાણાનું ચૂંટણી ચિત્ર નીચે મુજબ છે.

કુલ વિધાનસભા સીટો.................................... ૧૧૯

ચૂંટણી યોજાશે............................................... ૧૧૯

ઉમેદવારો મેદાનમાં.................................... ૧૮૨૧

મતદારોની સંખ્યા............................... ૨.૮૦ કરોડ

મતદાનની તારીખ............................ ૭મી ડિસેમ્બર

મતદાન યોજાશે................................. ૮થી ૫ વાગે

(3:55 pm IST)