Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હરિયાણાની કોડભરી યુવતી નિકિતાની હત્યાના આરોપીઓ તૌસિફ , રેહાન , અને અઝરુની ધરપકડ બાદ 700 પાનાનું ચાર્જશીટ દાખલ : નિકિતાએ ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવાની ના પાડતા હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ

ફરીદાબાદ : હરિયાણાની કોડભરી યુવતી નિકિતાની હત્યાના આરોપીઓ  તૌસિફ , રેહાન , અને અઝરુની ધરપકડ બાદ 11 દિવસમાં જ અનુભવી પોલીસ ટીમે  700 પાનાનું ચાર્જશીટ સ્થાનિક કોર્ટમાં દાખલ કરી દીધું છે. જે અંતર્ગત આરોપીઓને આકરી સજા થાય તે રીતે પોલીસ કોર્ટમાં પેરવી કરશે.

નિકિતાએ ધર્મ પરિવર્તન કરી  લગ્ન કરવાની ના પાડતા 26 ઓક્ટોબરના રોજ આરોપીઓએ તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. .

ઉલ્લેખનીય છે કે નિકિતા બી.કોમ.ના ફાઇનલ સેમિસ્ટરની પરીક્ષા આપી કોલેજ બહાર નીકળી ત્યારે તૌસીફ નામના યુવાને ગેટની બહાર તેની હત્યા કરી નાખી હતી.હત્યા માટે હથિયાર પુરા પાડવા બદલ તેના જોડીદારો રેહાન , અને અઝરુની પણ ધરપકડ કરવામાં આવી હતી.
નિકિતાના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ તેને ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા દબાણ કરાયું હતું જેનો ઇન્કાર કરતા તેની હત્યા કરાઈ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(8:56 pm IST)