Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભગવાને પણ પહેર્યો માસ્ક

મૂર્તિ નિર્જીવ નથી, સજીવ છે... લોકોનું કહેવું છે

વારાણસી, તા.૬: શિયાળાના આગમન સાથે અને પડોશી રાજયોમાં પરાળ બાળવાના પગલે દિલ્હીની સાથોસાથ ઉત્ત્।ર પ્રદેશમાં પણ પ્રદૂષણ માઝા મૂકી રહ્યું હોવાથી મંદિરોમાં દેવદેવીઓની મૂર્તિઓને પણ માસ્ક પહેરાવાઇ રહ્યાં હોવાની માહિતી મળી હતી.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મતવિસ્તાર વારાણસીનાં મોટા ભાગનાં મંદિરોમાં દેવદેવીઓની મૂર્તિેને માસ્ક પહેરાવાઇ રહ્યાં હતાં. આવાં મંદિરોમાં ભગવાન શિવ અને પાર્વતી, દુર્ગામાતા વગેરે દેવદેવીઓનો સમાવેશ થયો હતો.

કાશી વિદ્યાપીઠ નજીક આવેલા શિવપાર્વતીના મંદિર સાથે સંકળાયેલા પૂજારીએ કહ્યું કે અમે આસ્થાવાન લોકો છીએ. મૂર્તિને નિર્જીવ સમજતા નથી. એને સજીવ સમજીએ છીએ.

સજીવ હોય તેને માણસોની જેમ પ્રદૂષણની અસર તો થાયજ. એટલે અમે પોતે પણ માસ્ક પહેરીએ છીએ અને ભગવાનને પણ માસ્ક પહેરાવીએ છીએ. એમ તો શિયાળામાં અમે ભગવાનને સ્વેટર અને શાલ પણ ઓઢાડીએ છીએ.

(3:45 pm IST)