Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

''જર્ની ટુ કરતારપુર'': ગુરૂ નાનકેદવની ૫૫૦મી જન્મ જંયતિ ઉજવવા કેનેડાના શીખ શ્રધ્ધાળુઓ ખાસ બસ દ્વારા રવાનાઃ બસને જહાંજમાં ચડાવી એટલાન્ટિક મહાસાગર પાર કરી પેરિસ પહોંચ્યાઃ બસમાં કિચન, ડાઇનીંગ ટેબલ, વોશરૂમ,બેડરૂમ,સહિતની સુવિધાઃ કરતારપૂર થઇ ભારત આવશે

કેનેડાઃ ગુરૂ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ ઉજવવા માટે કેનેડાના શીખ શ્રધ્ધાળુઓ ખાસ બસ દ્વારા ૩ સપ્ટેં.ના રોજ રવાના થયા છે. આ બસએ જહાજમાં એટલાન્ટિક મહાસાગર પાર કરી લીધો છે. અને પેરિસ પહોંચી ગઇ છે. હવે લંડન, બ્રિટન, ફ્રાંસ, જર્મની સ્વિપ્ઝરલેન્ડ,ઓસ્ટ્રિયા, તુર્કી, તથા ઇરાન થઇ કરતારપુર પહોંચી બાદમાં ભારત આવશે. બસને ''જર્ની ટુ કરતારપુર'' નામ આપવામાં આવ્યું છે.

બસમાં કિચન,ડાઇનીંગ ટેબલ, વોશરૂમ તથા બેડરૂમની વ્યવસ્થા કરાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:15 pm IST)