News of Thursday, 6th September 2018
નવી દિલ્હી તા. ૬ : ભારતના પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રા ૨ ઓકટબરના રોજ રિટાયર થઈ જશે પણ આ પહેલા તે પોતાની સેવાના અંતિમ મહિના સપ્ટેમ્બરમાં ૧૯ કાર્ય દિવસમાં ૧૧ મુખ્ય મામલા પર નિર્ણય સંભળાવશે. અનેક મામલાની સુનાવણી પુરી થઈ ચુકી છે. ચીફ જસ્ટિસની આગેવાનીવાળી બેંચે આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
બીજી બાજુ દાઉદી બોહરા મુસ્લિમ સમુહમાં ખતના મામલાની સુનાવણી હજુ ચાલુ છે.
આ મહિને દેશની આથક સામાજીક પારિવારિક અને રાજનીતિક દિશા નક્કી કરશે.
આ રીતે આ મહિને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નિર્ણયો પર દેશભરની નજર રહેશે.
અયોધ્યા મામલો - અયોધ્યાનુ રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે. આ મામલા હેઠળ એક મોટો સવાલ ઉઠ્યો છે કે ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યુ હતુ કે મસ્જિદમાં નમાજ પઢના ઈસ્લામનુ અભિન્ન અંગ નથી.આ નિર્ણય દ્વારા પરીક્ષણ માટે તેને સુપ્રીમ કોર્ટની સંવૈઘાનિક બૈંચની સામે મોકલવામાં આવે કે નહી તેના પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
આધાર મામલો - ૩૮ દિવસની મૈરાથાન સુનાવણી પછી આધાર મામલે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યોછે. વ્યકિતગતને મૌલિક અધિકાર બતાવવાનો નિર્ણય આવ્યા પછી હવે આ વિશે નિર્ણય આવશે કે શુ આધાર માટે લેનારો ડેટા વ્યકિતગતતાનુ ઉલ્લંઘન છે કે નહી.
સમલૈંગિકતા - ૨ વયસ્ક વચ્ચે સહમતિથી બનાવેલ અપ્રાકૃતિક સંબંધને અપરાધ હેઠળ મુકવામાં આવે કે નહી. આ મુદ્દા પર સુનાવણી પુરી થઈ ચુકી છે. નિર્ણય સી.જે આઈ ની બેંચ પાસે સુરક્ષિત છે.
અડલ્ટરી કેસ - જો કોઈ પરણેલા પુરૃષ કોઈ બીજી પરણેલી સ્ત્રી સાથે તેની સહમતિથી સંબંધ બનાવે છે તો સંબંધ બનાવનારા પુરૃષ વિરુદ્ઘ એ મહિલાનો પતિ અડલ્ટરીનો કેસ નોંધાવી શકે છે. પણ સંબંધ બનાવનારી મહિલા વિરુદ્ઘ કેસ નથી બનતો. આ નિયમ ભેદભાવવાળો છે કે નહી તેના પર નિર્ણય આવશે.
એસસી.એસટી પ્રોમોશનનુ અનામત - પ્રોમોશનમાં અનામત મામલે સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે ૩૦ ઓગસ્ટના રોજ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. મામલને ૭ જજની સંવૈધાનિક બૈચને રૈફર કરવામાં આવે કે નહી. આ મુદ્દે નિર્ણય આવશે.
કોર્ટમાં સુનાવણીની રેકોર્ડિંગ - સુપ્રીમ કોર્ટ આ નક્કી કરશે કે કોર્ટ કાર્યવાહીની રેકોર્ડિંગ અને સીધુ પ્રસારણ થવુ જોઈએ કે નહી.
દાગીઓના ચૂંટણી લડવા પર રોક - સુપ્રીમ કોર્ટ આ વાતને નક્કી કરશે કે જે નેતાઓ વિરુદ્ઘ ગંભીર કેસમાં આરોપ સાબિત થઈ ગયા છે તેમના ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે કે નહી ?
દહેજ પ્રતાડિત કેસ - દહેજ પ્રતાડિતનો આરોપ મામલે સેફ ગાર્ડની જરૃર છે કે નહી ? તેના પર નિર્ણય આવશે. દહેજ કેસમાં સીધી ધરપકડ પર રોકના નિર્ણયને બીજીવાર સુનાવણી થઈ હતી.
સબરીમાલામાં મહિલાઓને એંટ્રી - સંવૈઘાનિક બેંચ નક્કી કરશે કે કેરલની સબરીમાલા મંદિરમાં ૧૦ વર્ષથી લઈને ૫૦ વર્ષની મહિલાઓને એંટ્રી આપવી જોઈએ કે નહી ?
ટોળાના નુકશાન - ટોળાના હિંસક પ્રદર્શન પર ચીફ જસ્ટિસની આગેવાની વાળી બેંચ આ મામલે ગાઈડલાઈંસ રજુ કરશે. પોલીસ અને ઉત્પાત મચાવનારની જવાબદારી નક્કી થશે.
નેતાઓની વકીલના રૃપમાંં પ્રેકટિસ - નેતાઓને વકીલના રૃપમાં પ્રેકટિસ કરવા વિરુદ્ઘ અરજી પર સુનાવણી પુરી થઈ ચુકી છે. નિર્ણય આ મહિને આવશે.(૨૧.૨૧)