Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ભારતમાં સાચું બોલનારા માટે ખતરનાક સમયઃ એમનેસ્ટી ઇન્ટરનેશનલ

સાચું કહેનારા પત્રકારો, સામાજિક કાર્યકરો, માનવ અધિકાર સંગઠનો પર હુમલા થાય છેઃ આકાર પટેલ

નવીદિલ્હી તા.૬: સાચું બોલનારા લોકો માટે ભારતમાં ખતરનાક સમય ચાલી રહયો છે, તેમ કહીને એમનેસ્ટી ઇન્ટરનેશનલે સનસનાટી મચાવી દીધી છે. આ નિવેદન મોદી સરકાર અને કટ્ટરવાદી સંગઠનો સામે આંગળી ચીંધી રહયું છે.

એમનેસ્ટી ઇન્ડિયાના આકાર પટેલે જણાવ્યંુ હતું કે, સાચું લખનારા પત્રકારોને ગોળી મારી દેવામાં આવે છે. સાચું બોલનાર સામાજિક કાર્યકરોને ઝડપી લઇને ફસાવી દેવામાં આવે છે. સત્તાને સાચું કહેનારા માટે ખતરનાક સમય ચાલી રહયો છે.

માનવ અધિકાર સંગઠને કહયું કે, પત્રકારત્વ અને ભાષણની અભિવ્યકિત સ્વતંત્રતાનું ગળું ઘોટવામાં આવે છે. નકસલીઓ સાથે સંબંધના આક્ષેપ લગાવીને સામાજિક કાર્યકરોને ઝડપી લેવાનાં મુદ્દે એમનેસ્ટીએ જણાવ્યું હતું કે, આવી બાબતો અભિવ્યકિતની સ્વતંત્રતા પર દમન છે.(૧.૬૪)

(11:47 am IST)