Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સુશાંત સિંઘ આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી અને અન્યો સામે એફઆઈઆર દાખલ:સમગ્ર તપાસનુંમોનીટરીંગ પ્રવિણ સિંહા હસ્તક રહેશે: મનોજ શશીધર તપાસનો દોર સંભાળશે:ગગનદીપ ગંભીર સુપરવિઝન કરશે

CBI એ 7 સામે ફરિયાદ દાખલ કરી, રિયા ચક્રવર્તી સહિત 7 સામે ફરિયાદ દાખલ, રિયાના ભાઈ અને માતા પિતાના નામનો પણ ફરિયાદમાં ઉલ્લેખ

મુંબઈ : બૉલીવુડ અભિનેતા સુશાંતસિંઘ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈએ રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાંડા, શ્રુતિ મોદી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.


દરમિયાન ગુજરાત કેડરના સિનિયર આઇપીએસ ઓફિસર અને સીબીઆઈના એડિશનલ ડાયરેકટર  પ્રવીણ સિંહા સમગ્ર તપાસનું મોનીટરીંગ કરશે.

ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અને સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર મનોજ શશીધર સમગ્ર તપાસનો દોર સંભાળશે.

જ્યારે ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર અને ડીઆઇજી ગગનદીપ ગંભીર આ કેસનું સુપરવિઝન કરશે. આ બનાવમાં રવિ ગંભીર એસપી છે અને અનિલ યાદવ તપાસનીસ ઓફિસર તરીકે ફરજ બજાવશે.

(9:38 pm IST)