Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સાધુ સંતોના ચહેરા ઉપર ખુશીની લહેર છવાઇ

અયોધ્યાઃ રામ મંદિર માટે ૭૬ યુધ્ધ અને અંદાજે ૪ લાખ શ્રધ્ધાળુઓના બલિદાનના સાક્ષી અયોધ્યાવાસીઓના ધિરજ અને પ્રતિક્ષાનો સમય હતો. પાંચ સદી સુધી ચાલેલા રામ મંદિર નિર્માણ આંદોલનની પુર્ણાહુતીની સૌ કોઇ રાહ જોઇને બેઠા હતા. દરેક શ્રધ્ધાળુને ૧૨ કલાક અને ૮ સેકન્ડના અભિજીત મુર્હુતની પ્રતિક્ષા હતી. રામ મંદિરના ભૂમિ પુજનમાં સાધુ સંતોથી લઇ સૌ રામભકતોમાં ખુશીની લહેર જોવા મળતી હતી. ઉકત પ્રથમ તસ્વીરમાં બાબારામદેવ સાધુ સંતો  સાથે બીજી તસ્વીરમાં ઉમા ભારતીનું અભિવાદન ઝીલતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અંતિમ તસ્વીરમાં પારીજાત વૃક્ષનું રોપણ કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી મોહન ભાગવતજી નજરે પડે છે.

(4:23 pm IST)