Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કરાંચીમાં કાશ્મીર રેલી પર કરાયો ગ્રેનેડથી હુમલો :30 લોકો ઘાયલ

હુમલાની જવાબદારી સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી નામના સંગઠને લીધી

કરાંચી : પાકિસ્તાનના કરાંચીમાં કાઢવામાં આવેલી કાશ્મીર રેલી પર ગ્રેનેડ હુમલો કરાયો હતો. તેમાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ રેલી કાઢવામાં આવી હતી. 5 ઓગસ્ટે પહેલી વર્ષગાંઠ હતી તેના વિરોધમાં કરાંચીમાં આ રેલી કાઢવામાં આવી હતી. 

   ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા લોકોને અલગ અલગ હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. તેમાંથી 1ની સ્થિતિ ગંભીર છે. કરાંચીના સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી છે. કરાંચી પોલિસ પ્રમુખ ગુલામ નબી મેનને કહ્યું છે કે રેલી પર ગ્રેનેડથી હુમલો કરાયો છે જેને પગલે અનકે લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી નામના સંગઠને લીધી છે. આ એક અલગાવવાદી સંગઠન છે જે છેલ્લા કેટલાક મહિનાથી સક્રિય થયું છે.

(12:18 pm IST)