Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

શ્રેય હોસ્પિટલના બનાવમાં નરેન્દ્રભાઇ દ્વારા સહાયની જાહેરાત

મૃતકોના પરિવારજનોને ૨ લાખ, ઇજાગ્રસ્તોને ૫૦ હજાર અપાશે

નવી દિલ્હી, તા.૬ : અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓના મોત નિપજયા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્દ્યટનાની અંગે તલસ્પર્શી તપાસ ૩ દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા છે.

તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યકત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને ૫૦ હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

(11:36 am IST)