Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કલમ 370 ના ખાત્મા પછી પણ કાશ્મીર ખીણ મોતની ખીણ બની રહી છે

આતંકવાદીઓના સતત મોત છતાં બંદૂક પકડવાનું આકર્ષણ યથાવત

 (સુરેશ એસ દુગ્ગર દ્વારા) જમ્મુ: કાશ્મીરને  મળેલી ૩૭૦મી કલમની સ્વતંત્રતા ભલે સુર કરવામાં આવી, તેમ છતાં મૃત્યુઆંક નીચે આવી રહ્યો નથી.  ઓપરેશન ઓલ-આઉટમાં આતંકવાદીઓના મોત પછી પણ બંદૂક પકડવાનું આકર્ષણ ચાલુ છે.  આ જ કારણ હતું કે કાશ્મીરને આજે પણ મોતની ખીણ કહેવામાં આવે છે.

5 ઓગસ્ટ પછી, પાછલા વર્ષમાં વિવિધ જૂથના મુખીયા સહિત 180 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા  છે.  આ વર્ષના સાત મહિનામાં, 145 ઠાર થઈ ગયા હતા.  તો પણ આતંકી બંદૂકધારી પણ વધતા જતા રહ્યા છે.

મળતી માહિતી મુજબ આ વર્ષે 7 મહિનાની અંદર 90 લોકોએ આતંકવાદનો માર્ગ અપનાવ્યો હતો.  જ્યારે છેલ્લા 12 મહિનામાં 139 સ્થાનિક આતંકીઓ તૈયાર હતા.

આ મૃત્યુઆંકમાં સુરક્ષા દળો અને નાગરિકોના મોતનો આંક પણ ચિંતાજનક છે.  આ વર્ષે 15 જુલાઇ સુધીમાં, 22 નાગરિકો અને 36 સુરક્ષા કર્મીઓ માર્યા ગયા છે.  જ્યારે ગત જાન્યુઆરીથી 15 જુલાઈ સુધીમાં 76 સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને 23 નાગરિકો માર્યા ગયા હતા. એટલું સુનિશ્ચિત હતું કે આ વર્ષે 15 જુલાઈ સુધીમાં સુરક્ષા દળો 145 આતંકવાદીઓને સાફ કરવામાં સફળ રહ્યા હતા.

આટલા મૃત્યુ પછી પણ કાશ્મીરમાં આતંકવાદ ઓછો થયાનો દાવો થાય છે. તો  આ સત્યનું બીજું પાસું એ છે કે સ્થાનિક આતંકવાદીઓના આતંકવાદી બનવાના પ્રયત્નોમાં અને સરહદ પરથી ઘૂસણખોરીમાં કોઈ ઘટાડો થયો નથી.  સુરક્ષા દળો હવે "શોધો અને ઠાર મારો"  અભિયાનમાં લાગી પડયા  છે કારણ કે તેમને કોઈ પણ ભોગે  આતંકવાદનો અંત લાવવો છે.

(12:05 am IST)