Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પંજાબના CM ભગવંત માન આવતીકાલે બીજીવાર લગ્નના બંધનમાં બંધાશે

લગ્નમાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે

ચંડીગઢ, તા.૬: પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરુવારે ચંદીગઢમાં થશે. ભગવંત માન ડૉક્‍ટર ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે.

ભગવંત માન ૪૮ વર્ષના છે. તેઓ બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માન તેમની પહેલી પત્‍ની ઈન્‍દ્રપ્રીત કૌરથી છૂટાછેડા લઈ ચૂકયા છે. તેમને બે બાળકો છે, જેઓ ભગવંત માનની પહેલી પત્‍ની સાથે અમેરિકામાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભગવંત માનના લગ્નનું આયોજન ચંદીગઢમાં કરવામાં આવશે. આમાં અરવિંદ કેજરીવાલ સહિત ખાસ લોકો જ સામેલ થશે. કોમેડિયનમાંથી રાજકારણી બનેલા ભગવંત માન ૨૦૧૪માં પહેલીવાર સંગરુરથી સાંસદ બન્‍યા હતા. ત્‍યારબાદ તેની પત્‍ની ઈન્‍દ્રજીત કૌર પણ તેના -મોશનમાં જોવા મળી હતી. જોકે, બંનેએ ૨૦૧૬માં છૂટાછેડા લીધા હતા. ભગવંત માન ૨૦૧૯માં સંગરુરથી પણ ચૂંટણી જીત્‍યા હતા. પરંતુ ૨૦૨૨માં તેઓ પંજાબમાં AAP તરફથી મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર બન્‍યા હતા. તેમના નેતળત્‍વમાં પાર્ટીને પ્રચંડ બહુમતી મળી. ભગવંત માને ૧૬ માર્ચ ૨૦૨૨ના રોજ પંજાબના સીએમ તરીકે શપથ લીધા હતા.

(3:32 pm IST)