Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

પશ્ચિમ બંગાળ,ઓરિસા અને છત્તીસગઢ સરકારની માંગણીઃ અમદાવાદ અને સુરત થઈને આવતી ટ્રેનો તેમના રાજયોમાં ના આવે

નવી દિલ્હી : દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે પશ્યિમ બંગાળ,ઓરિસ્સા અને છત્તીસગઢ સરકારે પત્ર લખીને ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેનની ફિકવન્સી ઘટાડવા માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે અમદાવાદ અને સુરત થઈને આવતી ટ્રેનો તેમના રાજયોમાં ના આવે ,તેનાથી રાજયમાં સંક્રમણ વધવાની શકયતા છે,બાદ રેલવેએ અમદાવાદ હાવડા મેલને દરરોજની જગાએ અઠવાડીયામાં એક દિવસ ચલાવવાનું નક્કી કર્યું છે.

(4:20 pm IST)