Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

૬ જુલાઇ ૨૦૨૦ ધીરૂભાઇ અંબાણીની પુણ્યતિથિ પર વિશેષ

ધીરૂભાઇ અંબાણી અને આત્મનિર્ભર ભારત : પરિમલ નથવાણી

જામનગર : આત્મનિર્ભરતા શબ્દ આજકાલ વધુ પ્રચલનમાં છે. કોવિડ-૧૯ને લીધે અર્થવ્યવસ્થામાં પડેલા ગાબડામાંથી ઉગરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે સૌ ભારતીયોને આહ્વાન આપ્યું. સ્વતંત્રતા આંદોલન દરમ્યાન પણ મહાત્મા ગાંધીએ સ્વાવલંબન કહેતાં આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો હતો. જો કે મહાત્માજી અને મોદીજી બન્નેએ અલગ અલગ સંદર્ભમાં આત્મનિર્ભરતાની મહત્ત્।ાની વાત કરી છે,ઙ્ગપણ અહીં ધીરૂભાઇ અંબાણીની વાત કરવી છે જેમણે આત્મનિર્ભરતા પ્રતિપાદિત કરી દર્શાવી હતી;ઙ્ગઅને આજે તેમના વંશજો,ઙ્ગખાસ કરીને શ્રી મૂકેશ અંબાણી તથા તેમનાં બાળકો તેને આગળ ધપાવી રહ્યાં છે.

આત્મનિર્ભર ભારતના ટીકાકારો જે માનતા હોય તેને દરકિનાર કરીને જોઇએ તો મહાત્માજી અને મોદીજી બન્નેની આત્મનિર્ભરતા એટલે બીજા ઉપર અવલંબન ઘટાડવું,ઙ્ગવધુ મદાર ભારત અને ભારતીયતા પર જ રાખવો તેમજ ભારતની અંતર્નિહિત શકિત,ઙ્ગક્ષમતા તથા સામર્થ્ય ઉપર આધારિત રહેવું. કારણ કે આખરે ઉદ્દેશ્ય તો ભારતને વધુ શકિતશાળી,ઙ્ગવધુ સક્ષમ અને વધુ સામર્થ્યવાન બનાવવાનો છેઃ સાંસ્કૃતિક રીતે,ઙ્ગસામાજિક રીતે અને આર્થિક રીતે!

ધીરૂભાઈ અંબાણીને મેં ખૂબ નિકટથી જોયા અને જાણ્યા છે તેથી હું નિર્ભીક રીતે કહી શકું કે ધીરૂભાઈ તેમનાં વ્યાવસાયિક સાહસોમાં આત્મનિર્ભરતાને પ્રાધાન્ય આપતા એટલું જ નહિ, તેને અમલમાં પણ મૂકતા. ભારતીય ઔદ્યોગિક અને કોર્પોરેટ પરિદ્રશ્યમાં ધીરૂભાઈ અંબાણીનો નાટ્યાત્મક ઉદય જ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારતીય સામર્થ્ય, ક્ષમતા અને સ્પર્ધાત્મકતાને ઉજાગર કરવા તે દ્રઢનિશ્ચયી અને કૃતસંકલ્પ હતા. પોતાની કંપનીનું નામઙ્ગ'રિલાયન્સ'ઙ્ગ(અવલંબન/આધાર) રાખીને જ તેમણે ડંકો વગાડીને કહી દીધું હતું કે તેઓઙ્ગ'આત્મનિર્ભર' (Self Reliant)ઙ્ગછે અને બીજાઓ પણ તેમની ઉપર તથા તેમની કંપની ઉપર આધાર રાખી શકે છે;ઙ્ગ'આત્મનિર્ભર'ઙ્ગથઇ શકે છે!

સાઇઠ અને સિત્તેરના દાયકામાં મને યાદ છે કે આપણા દેશમાં સુટિંગ-શર્ટિગના આયાતી કપડાંના શોખીનોમાં ૮૦-૨૦ (એઇટી-ટ્વેન્ટી) શબ્દ બહુ પ્રચલિત હતો. લોકો ૮૦ ટકા પોલિયેસ્ટર અને ૨૦ ટકા કોટનના મિશ્રણવાળા કાપડ માટે ગાંડા હતા. ધીરુભાઈ અંબાણી,ઙ્ગકે જેમની પાસે બજારની નાડ પારખવાની જબર્દસ્ત કુનેહ હતી,ઙ્ગતેમણે અમદાવાદમાં વિશ્વ કક્ષાની અદ્યતન કાપડ મિલ સ્થાપી. તે પણ એવા સમયે કે જયારે પરંપરાગત મિલમાલિકો આ વ્યવસાય છોડીને પોતાની સંપત્તિને રોકડી કરવાનાં આયોજનો કરતા હતા. પોલિયેસ્ટર અને ટેકસટાઇલમાં ધીરુભાઈ દુનિયાનું મોટું નામ બની ગયા!ઙ્ગકાપડ મિલ પછી તેમણે પોલિયેસ્ટર સહિત પેટ્રોરસાયણ ઉત્પાદનોની મોટી વણઝાર ઊભી કરી અને આ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવ્યું. એટલું જ નહિ, ઙ્ગપેટ્રોલ,ઙ્ગડીઝલ,ઙ્ગકેરોસીન,ઙ્ગરાંધણ ગેસ જેવાં બળતણો જે ભારતમાં વર્ષોથી આયાત કરવાં પડતાં હતાં તે તમામમાં પણ તેમણે ભારતને આત્મનિર્ભર બનાવ્યું. તે માટે તેમણે જામનગરમાં દુનિયાની સૌથી મોટી ક્રૂડ ઓઇલ રિફાઇનરી સ્થાપી અને વિશ્વમાં પેટ્રોલિયમ તથા પેટ્રોરસાયણ ઉત્પાદનોની સપ્લાય-શ્રૃંખલાની મુખ્ય કડી બન્યા.

વડાપ્રધાન પણ જયારે આત્મનિર્ભર ભારતની વાત કરે છે ત્યારે તેમનું તાત્પર્ય પણ એ જ છેઃ ભારતીય ઇનોવેશનને પ્રોત્સાહન!ઙ્ગભારતીયો તથા ભારતીયતાને સામર્થ્યવાન બનાવવું!ઙ્ગસ્થાનિક (લોકલ)ને વધુ વાચાળ (વોકલ) કરી અંતે તેને વૈશ્વિક (ગ્લોબલ) બનાવવું!ઙ્ગઆ જ આત્મનિર્ભરતા!

જીવન જરૂરી ચીજવસ્તુઓ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેવા વર્ષો જૂના કાયદાઓની નાગચૂડમાંથી કૃષિ સેકટરને છોડાવીને તેની શરૂઆત ભારત સરકારે કરી દીધી છે. હવે ખેડૂતો પોતાની ઉપજ પોતાની રીતે વેચવા મુકત છે. તે જ રીતે અધિકારી તંત્રની આંટીઘૂંટીમાંથી ભારતીય ઉદ્યોગોને મુકત કરવા,ઙ્ગસ્થાનિક તેમજ વૈશ્વિક રોકાણને ઉત્તેજન આપવું તે પણ આત્મનિર્ભર ભારત તરફની છલાંગ છે.

ધીરુભાઈ અંબાણી વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા હોવા છતાં તેમના પગ ધરતી પર જડાયેલા રહેતા અને આંખો ભારતના ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસ પર મંડાયેલી રહેતી. તેઓ એક વિશિષ્ટ પ્રકારના દેશી (લોકલ) વ્યકિત હતા!ઙ્ગદેશના અર્થતંત્રને મજબૂત કરે તેવી બાબતો પ્રત્યે વાચાળ (વોકલ) પણ હતા!ઙ્ગતેમજ,ઙ્ગભારતમાં જ વિશ્વસ્તરની ઉત્પાદન ક્ષમતાઓ અને ઉત્પાદનોનું સર્જન કરનાર વૈશ્વિક (ગ્લોબલ) મહામાનવ હતા!ઙ્ગતેમને ભારતના યુવાધનમાં અખૂટ શ્રદ્ઘા હતી અને તેમાં તે કદી નિષ્ફળ ન ગયા!ઙ્ગતેમણે ઘણી પ્રતિકૂળતાઓનો સામનો કર્યો. તેમાંથી પણ તેઓ તક શોધી લેતા. તેમની આ પ્રકારની આત્મનિર્ભરતા આજે અત્યંત જરૂરી છે.

જેમકે મહાત્મા ગાંધીજી કહેતા કેઃઙ્ગ'આત્મનિર્ભરતા એટલે સંકુચિતતા નહિ,ઙ્ગકોઇ પણ સંજોગોમાં આપણે જોઇતી તમામ ચીજો તો આપણે ઉત્પાદિત કરી શકવાના નથી. તેથી આત્મિર્ભરતા આપણું લક્ષ્ય હોવા છતાં આપણે જે ઉત્પાદિત ન કરી શકીએ તે બહારથી લેવું જ પડે!'ઙ્ગએનો અર્થ એ થયો કે આપણે જે ઉત્પાદન કરી શકીએ તે તો કરવું જ!ઙ્ગઆપણે સૌ જે પણ કરીએ તે શ્રેષ્ઠ કરીએ. તેનું નામ આત્મનિર્ભરતા!ઙ્ગ

ધીરૂભાઈ અંબાણીની પુણ્યતિથિએ જયારે તેમના જીવન-કવન પર નજર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે તે એક એવા પથદર્શક હતા જેમણે આપણને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનો ઉજ્જવળ માર્ગ દર્શાવ્યોૅં પોતાના તેજસ્વી વિચારો અને કર્તૃત્વથી.

શ્રી પરિમલ નથવાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીનિયર

ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજયસભા સાંસદ છે

(12:57 pm IST)