Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રેલ્વેએ રચ્યો ઇતિહાસ , સોલર પાવરથી ટ્રેન દોડશેઃ

સોલાર પાવરથી દોડાવનાર દુનિયાનો પ્રથમ દેશ બનશે ભારતઃ મધ્ય પ્રદેશના બીનામાં સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત : ૨૫ હજાર વોલ્ટની વિજળી પણ ઉત્પન્ન થશેઃ ભેલના સહયોગથી ૧.૭ મેગાવોટની ક્ષમતા

  નવી દિલ્હી : ભારતીય રેલ્વેના ટ્રેક પર હવે સોલાર પાવરની વિજળીથી ટ્રેન દોડશે. ભારતીય રેલ્વેએ તેની માટે તૈયારી કરી લીધી છે. રેલ્વેએ પોતાના પાયલટ પ્રોજેકટ હેઠળ મધ્ય પ્રદેશના બીનામાં સોલર પાવર પ્લાન્ટને સ્થાપિત કર્યો છે જેનાથી ૧.૭ મેગા વોટની વિજળીનું ઉત્પાદન થઇ શકે છે અને વિજળીથી ટ્રેનો દોડાવવાની તૈયારી છે.

રેલ્વેનો દાવો છે કે વિશ્વના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જયારે સૌર ઉર્જાનો ઉપયોગ ટ્રેનોને ચલાવવા માટે કરવામાં આવશે. આ પાવર પ્લાન્ટની ખાસ વાત એ છે કે અહીથી ૨૫ હજાર વોલ્ટની વિજળી પેદા થશે જેને ડાયરેકટ રેલ્વેના ઓવરહેડ પર ટ્રાન્સફર કરવામાં આવશે અને તેની મદદથી ટ્રેનોને દોડાવવામાં આવશે. મધ્ય પ્રદેશના બીનામાં રેલ્વેની ખાલી પડેલી જમીન પર ભેલના સહયોગથી ૧.૭ મેગાવોટની ક્ષમતા ધરાવતા સોલર પાવર પ્લાન્ટને તૈયાર કરવામાં આવ્યો છે. પુરી દુનિયામાં આવો પાવર પ્લાન્ટ નથી લાગ્યો, જેનાથી ટ્રેનને ચલાવી શકાય. વિશ્વના અન્ય રેલ્વે નેટવર્ક, સૌર ઉર્જાનો ઉપયોગ મુખ્ય રીતે સ્ટેશનો, આવાસીય કોલોની અને કાર્યાલયને વિજળીની જરૂરીયાતને પુરા કરવા માટે કરે છે.

(4:12 pm IST)